Surat News/ રત્નકલાકારોની વેદના: પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારની સક્રિયતા, CM સાથે બેઠક બાદ આજે કલેકટરે યોજી બેઠક

સુરતના રત્ન કલાકારોની આર્થિક સંકડામણ થઈ રહી છે, ત્યારે તેઓ દ્વારા રાજ્યના CM અને સુરતના જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી આપવીતી વર્ણવી.

Top Stories Gujarat Surat
Yogesh Work 2025 03 12T152634.759 રત્નકલાકારોની વેદના: પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારની સક્રિયતા, CM સાથે બેઠક બાદ આજે કલેકટરે યોજી બેઠક

Surat News : સુરતના હીરા ઉદ્યોગના કરોડરજ્જુ સમાન રત્નકલાકારો આજે આર્થિક સંકડામણ અને અન્યાયનો ભોગ બની રહ્યા છે. તેમની વેદનાને વાચા આપવા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી સાથે ઉદ્યોગકારોની મુલાકાત બાદ, આજે 12 માર્ચના જિલ્લા કલેક્ટરે રત્નકલાકારોના આગેવાનો સાથે વિસ્તૃત બેઠક યોજીને તેમની પીડાને નજીકથી જાણી હતી.

રત્નકલાકારોએ કલેક્ટર સમક્ષ તેમની આર્થિક દુર્દશાની હૃદયદ્રાવક કહાની વર્ણવી હતી. મંદીના મારથી તેમની આવકમાં ધરખમ ઘટાડો થયો છે, જેના કારણે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. બાળકોની શાળા ફી, બેંક લોન અને ઘર ભાડું ભરવામાં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિમાં તેમને તાત્કાલિક આર્થિક સહાયની સખત જરૂર છે.

રત્નકલાકારોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવી જરૂરી છે. આ બોર્ડ દ્વારા રત્નકલાકારોને આરોગ્ય, શિક્ષણ અને આવાસ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી શકાય છે. ડાયમંડ ફેક્ટરીઓમાં ફેક્ટરી એક્ટ અને લેબર લોનો યોગ્ય રીતે અમલ ન થતો હોવાથી રત્નકલાકારોને તેમના હક્કોથી વંચિત રહેવું પડે છે. આ કાયદાઓનો સખ્તાઈથી અમલ કરાવવાથી રત્નકલાકારોને ન્યાય મળી શકે છે. રત્નકલાકારોની સત્તાવાર નોંધણી ન થતી હોવાથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. સરકાર દ્વારા રત્નકલાકારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ ચલાવવી જોઈએ. મોંઘવારીને ધ્યાનમાં રાખીને રત્નકલાકારોના વેતનમાં વધારો કરવો જોઈએ. તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પેન્શન અને વીમા જેવી યોજનાઓ શરૂ કરવી જોઈએ.

જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ રત્નકલાકારોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર રત્નકલાકારોની સ્થિતિને લઈને ખૂબ જ સંવેદનશીલ છે અને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ પણ રત્નકલાકારોના પ્રશ્નોને સમજીને સહયોગ આપવાનું વચન આપ્યું હતું. તેમણે રત્નકલાકારોની ઓળખ માટે ફેક્ટરી માલિકો દ્વારા પ્રમાણપત્ર આપવાની અને વ્યવસાય વેરાના આધારે ઓળખ કરવાની સૂચના આપી હતી.

ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાએ જણાવ્યું હતું કે, તેઓ રત્નકલાકારોના હક્કો માટે સતત સંઘર્ષ કરતા રહેશે. તેમણે સરકારને તાત્કાલિક સર્વે કરાવીને કાયદાઓનો અમલ કરાવવાની માંગણી કરી હતી. રત્નકલાકારોને આશા છે કે સરકાર તેમની માંગણીઓ પર સકારાત્મક પ્રતિસાદ આપશે અને તેમના જીવનમાં સુધારો લાવવા માટે નક્કર પગલાં લેશે. સુરતના હીરા ઉદ્યોગને ફરીથી ધમધમતો કરવા માટે રત્નકલાકારોનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી