Pegasus Spyware કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આજે આ મામલે સુનાવણી કરશે. આપને જણાવી દઈએ કે, પેગાસસ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે પેગાસસ સ્પાયવેર દ્વારા લોકોનાં ફોન ટેપ કરવામાં આવ્યા છે અને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ફરી કુદરતના ખોળે / જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે
જસ્ટિસ રમન્ના ઉપરાંત જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ સૂર્યકાંત પણ સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચમાં સામેલ છે. અગાઉ, આ કેસમાં 5 ઓગસ્ટનાં રોજ સુનાવણી દરમ્યાન કોર્ટે આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને નિર્દેશ આપ્યો હતો કે, અરજદારો પહેલા તેમની અરજીની નકલ સરકારી વકીલને આપે, ત્યારબાદ આ મામલાની સુનાવણી 10 ઓગસ્ટે થશે. આપને જણાવી દઈએ કે, જસ્ટિસ વિનીત સરન અત્યારે 11 સૌથી સિનિયર ન્યાયાધીશોમાં સામેલ છે, તેઓ સામાન્ય રીતે બેન્ચનું નેતૃત્વ કરે છે અને જસ્ટિસ દિનેશ મહેશ્વરી સાથે બેસે છે. સુપ્રીમ કોર્ટનાં પોર્ટલ પર પ્રકાશિત થયેલા રોસ્ટર મુજબ, જસ્ટિસ સરન શ્રમ કાયદો, જમીન સંપાદન, સેવા, ફોજદારી કાયદો, પારિવારિક બાબતો સાથે સંબંધિત કેસો સાંભળે છે.
આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી
મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની કોર્ટ નંબર 1 સામાન્ય રીતે ત્રણ જજોની બેન્ચ હોય છે, જ્યારે અન્ય કોર્ટ બે જજની બેન્ચ હોય છે. ઘણા કિસ્સાઓમાં, મુખ્ય ન્યાયાધીશ બે ન્યાયાધીશોની બેંચ પર પણ બેસે છે, તે જસ્ટિસ એ.એસ. બોપન્ના અથવા જસ્ટિસ કાંત સાથે બેસે છે. નોંધનીય છે કે વરિષ્ઠ પત્રકારો એન રામ, પરનજોય ગુહા ઠાકુરતા અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસો વિપક્ષ પેગાસસ જાસૂસી મામલે સરકાર પર સવાલો ઉઠાવી રહ્યુ છે. પરંતુ સરકાર દ્વારા આ મામલે હજુ સુધી કોઇ સ્પષ્ટીકરણ ન મળતા વિપક્ષનો વિરોધ યથાવત છે.