વિશ્વમાં રોજ સેંકડો વિચિત્ર બાબતો સામે આવતી રહે છે. જેના વિશે પહેલાનાં સમયમાં જાણી શકાતુ નહોતુ, પરંતુ સોશિયલ મીડિયાનાં આ યુગમાં, કઇ પણ તુરંત જ વાયરલ થઈ જાય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલા ટીબી રોગની સારવાર માટે મહિનાઓ સુધી ડોકટરોનાં ચક્કર લગાવતી રહી. તે સમજતી રહી કે તેને શર્દી, ખાસી છે જેના કારણે તેના માઇન્ડમાં બેઠુ કે તેને કદાચ ટીબી હોઇ શકે છે પરંતુ અંતે જે વાત સામે આવી તે જાણીને તમે ચોંકી જશો.
OMG! / બંધ સિનેમા હોલમાં ઘૂસી ગયું કપલ, પોપકોર્નની ચોરી કરી પછી બનાવ્યા શારીરિક સંબંધ, જુઓ વીડિયો
આપને જણાવી દઇએ કે, 27 વર્ષીય મહિલાને ઘણા મહિનાઓથી સતત ઉધરસ રહેતી હતી. આ પછી તેને કફ અને તાવની સમસ્યા હતી. જે બાદ તે ડોકટરો પાસે પહોંચી. આ લગભગ 6 મહિના સુધી ચાલ્યું. શરૂઆતમાં, ડોકટરોએ વિચાર્યું કે આ ટીબીનો કેસ છે, આ માટે તેઓએ અનેક પ્રકારની તપાસ કરી. બાદમાં, એન્ટિબાયોટિક્સ અને એન્ટી ટ્યુબરક્યુલોસિસથી સારવાર શરૂ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી સારવાર બાદ પણ મહિલાનાં સ્વાસ્થ્ય પર કોઈ અસર થઈ ન હોતી. તેની સમસ્યાઓ યથાવત રહી હતી. બાદમાં મહિલાએ કફની તપાસ કરવામાં આવી, જેમાં ટીબીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. પછી એક્સ-રેમાં ફેફસાંના ઉપરનાં જમણા ભાગમાં સોજો હોવાનું જણાયું હતું. આ પછી, ડોકટરોએ મહિલાનાં ઓપરેશનની તૈયારી કરી હતી.
વાયરલ વીડિયો / Gymમાં કસરત કરી રહેલા આ શખ્સને જોઇને તમને એવું કંઇક દેખાશે કે તમે મૂંઝવણમાં મૂકાઇ જશો…જુઓ Video
જાણીને નવાઇ લાગશે પણ આ ઓપરેશનમાં એક થેલી હોવાનું બહાર આવ્યું, જે વિચિત્ર હતું. ડોક્ટરો પણ સમજી શક્યા નહીં કે તે શું છે. બાદમાં તપાસ દરમિયાન તે કોન્ડોમ હોવાનુ બહાર આવ્યુ હતુ. જેનો મોટાભાગનો ભાગ નષ્ટ થઇ ગયો હતો. દરમિયાન, પતિ સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું કે મહિલાએ જાતીય સંભોગ દરમિયાન આકસ્મિક રીતે કોન્ડોમ ગળી લીધુ હતુ, જેના કારણે તે ફેફસામાં અટવાઇ ગયુ હતુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…