Covid-19/ વિશ્વમાં કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત વધારો, જાણો શું છે US અને બ્રાઝિલની સ્થિતિ?

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસનો કુલ આંક 11.66 કરોડ પર પહોંચી ગયો છે.

World
Mantavya 99 વિશ્વમાં કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત વધારો, જાણો શું છે US અને બ્રાઝિલની સ્થિતિ?
  • USમાં કોરોનાનાં નવા 67 હજાર કેસ
  • USમાં સૌથી વધુ કોરોનાથી 1794 લોકોનાં મૃત્યુ
  • બ્રાઝિલમાં ઝડપથી વધી રહ્યાં છે કેસ
  • બ્રાઝિલમાં 24 કલાકમાં નવા 75 હજાર કેસ
  • વિશ્વમાં કુલ કેસનો આંક 11.66 કરોડ કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે હવે કોરોનાની વેક્સીન આવ્યા બાદ અને સાવચેતીભર્યા પગલા લેવાના કારણે દુનિયામાં ઘણા દેશો આ વાયરસ ઘણી હદ સુધી કાબુ મેળવવામાં સફળ રહ્યા છે. દરેક પ્રકારની સાવધાની રાખવા છતા આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસનો કુલ આંક 11.66 કરોડ પર પહોંચી ગયો છે.

Corona effect / મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં વધ્યા કોરોનાનાં કેસ , વેક્સિન બાદ લોકોમાં વધી બેદરકારી

આપને જણાવી દઇએ કે, કોરોનાથી સૌથી ખરાબ હાલ અમેરિકા ભોગવી રહ્યુ છે. અહી રોજ સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે અમેરિકામાં કોરોનાનાં નવા કેસ 67 હજાર સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી 24 કલાકમાં 1,794 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દુનિયાનો સૌથી તાકતવર દેશ કહેવાતો અમેરિકા આજે એક વાયરસ સામે નતમસ્તક છે. ત્યાર બાદ જો બ્રાઝિલની વાત કરીએ તો અહી કોરોનાનાં નવા 75 હજાર કેસ સામે આવ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વમાં હાલ 2 કરોડથી પણ વધારે કોરોનાનાં એક્ટિવ કેસ છે. વિશ્વભરમાં કુલ કોરોનાનાં કેસનો આંક 11.66 કરોડ પર પહોંચી ગયો છે.

Corona effect / MPના ઈન્દોર માટે ભયાનક સમાચાર,નવા સ્ટ્રેનનો પગ પેસારો, 6 દર્દીઓમાં UK નો વેરિએન્ટ મળ્યો

વળી બીજી તરફ જો ભારતની વાત કરીએ તો અહી પણ રોજ કોરોનાનાં કેસ થોડા દિવસોથી સતત વધી રહ્યા છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસોમાં વાયુવેગે વધારો થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપતા સરકારે કહ્યું કે, અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાનાં ચાર સ્ટ્રેન, બ્રાઝિલનાં બે સ્ટ્રેન અને યુકેનાં કોરોના સ્ટ્રેનનાં 187 કેસ અહીં મળી આવ્યા છે. આઇસીએમઆર ડીજી બલારામ ભાર્ગવાએ જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાથી આવતા ચાર લોકોમાં દક્ષિણ આફ્રિકાનાં સ્ટ્રેન મળી આવ્યા છે. બધા મુસાફરો અને તેમના સંપર્કોનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ