Interesting/ મોત બાદ વધુ ખતરનાક બને છે દુનિયાનું સૌથી મહાકાય પ્રાણી

આપણે બધા જાણીએ છીએ કે વ્હેલ એક દરિયાઈ માછલી છે અને તે વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે. સંપૂર્ણ રીતે વિકસિત વ્હેલ માછલીની લંબાઈ લગભગ 110 ફૂટ હોય છે અને તેનું વજન 180 ટન હોય છે.

Ajab Gajab News
મોત બાદ વધુ ખતરનાક બને છે વ્હેલ

આપણે બધા જાણીએ છીએ કે વ્હેલ એક દરિયાઈ માછલી છે અને તે વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે. સંપૂર્ણ રીતે વિકસિત વ્હેલ માછલીની લંબાઈ લગભગ 110 ફૂટ હોય છે અને તેનું વજન 180 ટન હોય છે. જ્યારે આ મહાકાય પ્રાણી મહાસાગરોમાં ફરે છે ત્યારે મોટા સબમરીન જહાજો અને દરિયાઈ જીવો તેને જોઈને પોતાનો રસ્તો બદલી નાખે છે.

મોત બાદ વધુ ખતરનાક બને છે વ્હેલ

આ પણ વાંચો – OMG! / ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રોફેસર હતા બાથરૂમમાં, કેમેરો બંધ કરવાનું ભૂલ્યા અને પછી…

આટલી વિશાળ હોવા છતાં પણ વ્હેલ મનુષ્યો માટે બિલકુલ ખતરનાક નથી, પરંતુ શું તમે જાણો છો કે જો વ્હેલ મરી જાય તો તે મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે, હા, વ્હેલનું મૃત શરીર ખૂબ જ ખતરનાક હોય છે અને તે બોમ્બ વિસ્ફોટની જેમ માણસોને મારી શકે છે. વ્હેલનું મૃત શરીર કેમ ખતરનાક છે તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. જણાવી દઈએ કે જ્યારે વ્હેલ મરી જાય છે ત્યારે દરિયાનાં મોજા તેને કિનારે લાવીને છોડી દે છે. આવી સ્થિતિમાં જે લોકો જીવતી વ્હેલને જોઈ શક્યા ન હોય, તો તે તેના શબને જોવા માટે નજીક પહોંચી જાય છે, પરંતુ આ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે મૃત વ્હેલની નજીક જવું જીવન માટે જોખમી હોઈ શકે છે, કારણ કે મૃત વ્હેલનું શરીર કોઈપણ સમયે વિસ્ફોટ કરી શકે છે. વિસ્ફોટને કારણે, તેમા બ્લાસ્ટ થાય છે, જેના કારણે તે વ્હેલનાં મૃત્યુ પછી મનુષ્યો માટે મોટો ખતરો બની જાય છે.

મોત બાદ વધુ ખતરનાક બને છે વ્હેલ

આ પણ વાંચો – આસામ / બુરખાની જગ્યાએ જીન્સ પહેરીને આવેલી યુવતીને દુકાનદારે બહાર કાઢી મુકી અને પછી જે થયુ…

મૃત વ્હેલનું શબ શા માટે વિસ્ફોટ કરે છે શું તમે જાણી છો? જો ના તો અમે તમને જણાવી દઇએ કે, મૃત વ્હેલનું શબ વિસ્ફોટ કરે છે કારણ કે જીવોનાં મૃત્યુ પછી, બેક્ટેરિયા તેમના શરીરનાં આંતરિક ભાગોને ખાવાનું શરૂ કરે છે, તેથી જ તેમના શરીરમાં જે રીતે ગેસ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે અને વાયુ તેમના શરીરમાં ઝડપથી વધવા લાગે છે. આ જ પ્રક્રિયા વ્હેલની અંદર પણ મોટી માત્રામાં થાય છે. વળી, વ્હેલનો બાહ્ય પડ ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે ગેસ શરીરમાંથી બહાર નીકળી શકતી નથી અને તે વિસ્ફોટ કરે છે. તેથી, જ્યારે વ્હેલ મૃત્યુ પામે છે, ત્યારે તેના શરીરમાં એક કટ બનાવવામાં આવે છે જેથી ગેસ બહાર આવતો રહે. એવું પણ ઘણી વખત બન્યું છે કે કાપતી વખતે વ્હેલનું શરીર ફાટી જાય અને માંસ બહાર આવીને કેટલાય મીટર સુધી ફેલાઈ જાય. તેથી શરીરને કાપતા પહેલા પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જ્યારે ઘણા ટન વ્હેલનું શરીર વિસ્ફોટ કરે છે, ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે.