Not Set/ એક વ્યક્તિએ રીત-રિવાજ મુજબ કિન્નર સાથે કર્યા લગ્ન, ટીકટોક ઉપર શરૂ થઈ હતી love Story

મહારાષ્ટ્રના નાસિકમાં 15 દિવસ પહેલા થયેલાં લગ્ન અચાનક જ ચર્ચામાં આવી ગયા છે. જિલ્લાના મનમાડ વિસ્તારમાં એક યુવકે સંપૂર્ણ રીતરિવાજ સાથે એક કિન્નર સાથે લગ્ન કર્યા છે.

Ajab Gajab News
a 346 એક વ્યક્તિએ રીત-રિવાજ મુજબ કિન્નર સાથે કર્યા લગ્ન, ટીકટોક ઉપર શરૂ થઈ હતી love Story

મહારાષ્ટ્રના નાસિકમાં 15 દિવસ પહેલા થયેલાં લગ્ન અચાનક જ ચર્ચામાં આવી ગયા છે. જિલ્લાના મનમાડ વિસ્તારમાં એક યુવકે સંપૂર્ણ રીતરિવાજ સાથે એક કિન્નર સાથે લગ્ન કર્યા છે. તેના પરિવારના સભ્યોએ પણ કિન્નર બહુને ખુલ્લા મનથી અપનાવી છે. 15 દિવસ પછી પણ લોકો દરરોજ કિન્નર પુત્રવધૂને મળવા તેના ઘરે આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે,નાસિકના મનમાડમાં રહેતા સંજય ઝાલ્ટેએ સમાજ અને લોકોની પરવા કર્યા વિના 15 જૂને લક્ષ્મી નામના એક કિન્નર ને પોતાની પત્ની બનાવી છે. આ લગ્ન મંદિરમાં કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન થયાં હતાં. આ લગ્નમાં વધુ લોકો જોડાયા ન હતા, પરંતુ અહીં આવેલા તમામ લોકોએ આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. સંજય કહે છે કે આ પ્રકારના લગ્નથી તે સમાજને સંદેશ આપવા માંગે છે.

a 348 એક વ્યક્તિએ રીત-રિવાજ મુજબ કિન્નર સાથે કર્યા લગ્ન, ટીકટોક ઉપર શરૂ થઈ હતી love Story

આ પણ વાંચો :ગાઝીપુર બોર્ડર પર ભાજપ સમર્થકો અને ખેડૂતો વચ્ચે થઇ મારામારી, સ્થળ પર પોલીસ તૈનાત

સંજય ઝાલ્ટેની ઓળખ કિન્નર ‘શિવલક્ષ્મી’ થી ટિકટોક દ્વારા થઈ હતી. થોડા દિવસોમાં જ ઓળખ પ્રેમમાં ફેરવાઈ અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. સંજયે તેની ઇચ્છા તેની માતાને જણાવી અને પછી તેની માતા સંબંધ સાથે શિવલક્ષ્મી પાસે ગઈ. તેમની સ્વીકૃતિ પછી, બંનેના લગ્ન મનમાડના પ્રાચીન શિવ મંદિરમાં થયા. શિવલક્ષ્મીના કિન્નર મિત્રો પણ આ લગ્નમાં સામેલ થયા હતા.

a 349 એક વ્યક્તિએ રીત-રિવાજ મુજબ કિન્નર સાથે કર્યા લગ્ન, ટીકટોક ઉપર શરૂ થઈ હતી love Story

આ પણ વાંચો :લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

આ લગ્ન અંગે સંજય ઝાલ્ટેએ કહ્યું કે કિન્નર પણ મનુષ્ય જ છે. તેની પણ પોતાની જિંદગી છે. તો તેની સાથે લગ્ન કરવામાં મુશ્કેલી શું છે? નવું જીવન શરૂ કરતી વખતે સંજયે એક ગીતની કેટલીક લાઈનો પણ કહી હતી કે ‘કુછ તો લોગ કહંગે લોકો કા કામ હૈ કહેના’. સંજયની માતા કહે છે કે તે સાંભળીને આશ્ચર્ય થાય છે કે દીકરાએ કોઈ કિન્નર સાથે લગ્ન કર્યા છે. પરંતુ એ પણ સાચું છે કે બંનેએ સમાજની સામે એક નવો આદર્શ રજૂ કર્યો છે. હાલમાં આ લગ્ન ગામના લોકો માટે પણ ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો :અમેરિકામાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે ભારતની કોવેક્સિન

શિવલક્ષ્મી કહે છે, “ભારતીય સંસ્કૃતિમાં છોકરી લગ્ન પછી તેના પતિના ઘરે જાય છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને પુત્રવધૂ તરીકે સ્વીકારવામાં આવશે, પરંતુ અમારા બંનેના પરિવારમાં સમાજની તમામ રૂઢીચુસ્ત  પરંપરાઓ કરતાં વધુ છે. અમારા સંબંધને મહત્ત્વ આપ્યું. મારા નામના ખરા અર્થમાં મને લક્ષ્મી તરીકે સ્વીકાર્યો. તે બધું એક સ્વપ્ન જેવું છે. સ્વાભાવિક છે કે હું ખૂબ જ ખુશ છું. “