Helth/ સ્વાસ્થ્ય વર્ધક ઔષધીય ગુણોથી ભરપૂર મેથી ખાવાથી થાય છે અનેક ફાયદા..જાણો..

મેથીમાં ઘણા પ્રકારના ફાયદાકારક ફિટોન્યુટ્રીએંટ્સ જોવા મળે છે. આ ફિટો ન્યુટ્રીએંટ્સ, ઝાડ છોડમાં જોવા મળતા તત્વો છે જે વૃક્ષને બીમારી અને ફંગસથી બચાવે છે, સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ તે ખુબ ફાયદાકારક છે

Health & Fitness Lifestyle
15 8 સ્વાસ્થ્ય વર્ધક ઔષધીય ગુણોથી ભરપૂર મેથી ખાવાથી થાય છે અનેક ફાયદા..જાણો..

આપણા રસોડામાં જ કેટલી બધી ખાદ્ય પદાર્થ રહેલા છે જેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આપણે આજીવન સ્વસ્થ રહેશું. એવું એક અત્યંત સ્વાસ્થ્ય વર્ધક ખાવાની વસ્તુ છે મેથી. હા, મેથી પોતાના ઔષધીય ગુણોના કારણે આયુર્વેદમાં ખુબ જાણીતી છે.

મેથીમાં ઘણા પ્રકારના ફાયદાકારક ફિટોન્યુટ્રીએંટ્સ જોવા મળે છે. આ ફિટો ન્યુટ્રીએંટ્સ, ઝાડ છોડમાં જોવા મળતા તત્વો છે જે વૃક્ષને બીમારી અને ફંગસથી બચાવે છે, સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ તે ખુબ ફાયદાકારક છે. ઉપરાંત મેથીમાં રહેલા ફાયબર અને સેપોનિન આનાથી આશ્ચર્યજનક ઔષધિ બનાવે છે. આના સિવાય મેથીમાં મ્યુસીલેજ નામ ના એક સ્ટીકી(ચીપચીપા) તત્વ પણ હોય છે જે મેથીને પાણીમાં પલાણવા પર જૈલ માં પરિવર્તન થઇ જાય છે. આ જ જૈલ શરીર ના તંતુઓની સારું કરી તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. એવા માં જો તમે નિયમિત રૂપથી મેથીનું સેવન કરતા રહશે તો શરીર પુરી રીતે નિરોગી થઇ જશે.

આમતો અલગ-અલગ બીમારીઓના ઉપચાર માટે મેથીનો ઉપયોગ જુદી-જુદી રીતે કરવામાં આવે છે જેમ કે  મેથીને પલાળીને તેનું પાણી પી શકાય છે,  તેને પલાળીને ચાવી શકાયછે.  મેથી નો ઉપયોગ શાક બનાવામાં કે કઢી બનાવવામાં કરી શકાય છે. જયારે કેટલાક લોકોતો મેથીના લાડુ પણ બનાવીને ખાય છે પરંતુ મેથી ખાવાનું સૌથી સારી રીતે છે તેને પલાળીને સવારે તેને ચાવીને ખાવી.

મેથી લઈને ધીરે ધીરે ખુબ ચાવી ચાવીને રોજ સવારના સમયે ખાલી પેટ પાણીની મદદથી ખાવી જોઈએ, જો ચાવવામાં તકલીફ પડતી હોય તો તેને ગાળી શકો છો. આવું રોજ નિયમિત કરવાથી વ્યક્તિ હમેશા નિરોગી અને ચુસ્ત બને છે.  ડાયાબિટીસ, સાધના દુ:ખાવા, પ્રેસર, વારંવાર પેશાબ આવવો વગેરેથી રાહત મળશે. અને શરીરમાં ઓઝ, ક્રાંતિ અને સ્ફ્રુતિ આવે છે.

આ ઉપરાંત મહિલાઓને પણ મેથી ખાવાથી વિશેષ ફાયદા થાય છે. મેથી ને નિયમિત ખાવાથી સ્તન કેન્સરનું નિવારણ થઇ શકે છે. સાથે મોનોપોઝની સમસ્યાઓ, માસિક ઘર્મની અનિયમિતતા, અતિશય રકતસ્ત્રાવથી નિવારણ આપે છે. ગર્ભાશય ઢીલું પડી ગયું હોય તો તેમાં પણ મદદરૂપ થાય છે. પ્રસવ પછી પણ મેથીના લાડુ ખાવાથી કમજોરી દૂર થાય છે.