પ્રેરણા/ ભાવનગરનાં આ રક્તદાતાઓએ 150થી વધુ વખત કર્યું છે રકતદાન : તેમના જ શબ્દોમાં તેમની વાત

ભાવનગરના બે શતકવીર રક્તદાતાએ પણ લોકોને વર્ષમાં ચાર વાર રક્તદાન કરવા અપીલ કરી છે.

Gujarat Others
રક્તદાન

આજે ૧૪ જુન એટલેકે વિશ્વ રક્તદાતા દિવસ છે .આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.આમ તો અનેક રેગ્યુલર રકતદાતાઓ સમયાંતરે સ્વૈચ્છીક રક્તદાન કરતા જ હોય છે, પરંતુ ૧૪ જુન ૧૮૬૮માં જન્મેલા ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી જેના જન્મદિનને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું વર્ષ ૨૦૦૪થી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજના ખાસ દિને લોકો સ્વેચ્છિક રીતે રક્તદાન કરી અને લોહીની જરૂર વાળા લોકોની મહામુલી જીંદગીને નવજીવન આપવામાં સહભાગી બની રહ્યા છે. જેમાં ભાવનગરના બે શતકવીર રક્તદાતાએ પણ લોકોને વર્ષમાં ચાર વાર રક્તદાન કરવા અપીલ કરી છે.

રક્તદાન

લોહી કે જે કુદરતની દેણ છે.જેને આજનો ૨૧ મી સદીનો માનવી હજી સુધી બનાવી શક્યો નથી અને માટેજ લોકોએ અન્ય લોકોની જીંદગી બચાવવા માટે રક્તદાન કરવું જરૂરી છે.આજથી ૧૧૦ વર્ષ પહેલા ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી અને ત્યારબાદથી લઇને આજદિન સુધી આ શોધના આધારે અવનવા પ્રયોગો હાથ ધરીને તેમાં જરૂરી સંશોધનો કરી માનવીના જીવનને બચાવવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્લ લેન્ડસ્ટરનો જન્મ ૧૮૬૮ માં થયો હતો અને તેને આ શોધ બદલ ૧૯૩૦ માં તેને નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા .તેમનો જન્મ ૧૪ જુન ૧૮૬૮ માં થયો હોય જેથી આ દિવસને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું વર્ષ ૨૦૦૪ માં શરુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.લોહી અમુલ્ય છે અને તે અનેકની જીંદગી બચાવે છે ત્યારે આજના આ દિને લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે . આજનો યુવક રક્તદાન કરવા પ્રેરિત થાય તે ખુબજ જરૂરી છે.ભાવનગર શહેરમાં અનેક શતકવીર રકતદાતાઓ છે. જેમાં સંજયભાઈ પરાંજપે અને ડો.રાજેશ મહેતા કે જેઓ ૧૭૮ અને ૧૭૫ વાર રક્તદાન કરી લોકોના પ્રેરણાસ્ત્રોત બન્યા છે. શતકવીર રક્તદાતાઓ આજના આ ખાસ દિને રક્તદાન કરી લોકોમાં રક્તદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે.આપણું લોહી અનેક લોકોનું જીવન બચાવે છે ત્યારે લોકો પણ અન્ય લોકોની મહામુલી જીવન બચાવવા રક્તદાન કરે તે જરૂરી છે.રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી તેમજ રક્તદાન કરનાર ને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ નથી થતી. પરંતુ વ્યક્તિને સોયનો ડર ચક્કર કે ગભરામણ ક્યારેક કરી મુકે છે પરંતુ મજબુત મનોબળ વાળા રક્તદાતા સમયે રક્તદાન કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરે છે.

રક્તદાન

ભાવનગરની બ્લડબેંકોમાં અત્યાધુનિક સાધનો પણ હાલ મૌજુદ છે. જેમાં બ્લડના વિવિધ ટેસ્ટ કરી તેમાંથી વિવિધ ઘટકો છુટા પાડવામાં આવે છે.જેમાં શ્વેત રક્તકણો-લાલ રકતકણો-ત્રાક કણો-અને પ્લાઝમા અલગ-અલગ પાડીને જરૂરિયાત અનુસાર આપવામાં આવે છે .જયારે અમુક કિસ્સાઓમાં હોલ બ્લડ એટલેકે આ બધા તત્વો ધરાવતું બ્લડ પણ પૂરું પાડવામાં આવે છે.લોહીની સૌથી વધુ જરૂરિયાત થેલેસેમિયા ગ્રસ્ત લોકોને જરૂર પડે છે, આ ઉપરાંત બ્લડ કેન્સર-પ્રસુતિ-અકસ્માત વગેર સમયે પણ લોહીની ખાસ જરૂર પડતી હોય ત્યારે આવા દર્દીઓને લોહી મળી રહે તે જરૂરી છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ