Ahmedabad News/ અમદાવાદમાં ત્રણ BRTS બસ બળીને ખાખ થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદના વસ્ત્રાલના જાડેશ્વર ખાતેના બસ ડેપોમાં પાર્ક કરેલી ત્રણ ઈલેક્ટ્રિક બસોમાં મંગળવારે વહેલી સવારે આગ લાગતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદના વસ્ત્રાલના જાડેશ્વર ખાતેના બસ ડેપોમાં પાર્ક કરેલી ત્રણ ઈલેક્ટ્રિક બસોમાં મંગળવારે વહેલી સવારે આગ લાગતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસો ચાર્જ કરવામાં આવી રહી હતી જ્યારે તેમાંથી એકમાં આગ લાગી હતી, આગ પછી બાજુમાં પાર્ક કરેલી અન્ય બે બસોમાં ફેલાઈ હતી. આગમાં બસો તેમજ ચાર્જરને નુકસાન થયું છે. બસ ડેપોમાં હોવાથી કોઈ મોટું નુકસાન થયું નથી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે.  BRTSના તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ