Amreli News: અમરેલી જિલ્લાના ખાંભાના હનુમાનપુર ગામમાં રવિવારે ત્રણ યુવકોના વીજ કરંટથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લાના હનુમાનપુર ગામમાં ત્રણ યુવાનો રેતી ગાળતા હતા તે સમયે તેમને કરંટ લાગ્યો હતો. તેમા બે સગા ભાઈ હતા અને એક ભત્રીજો હતો.
108 મારફતે તમામને ખાંભા ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના હાજર તબીબે તમામને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય જણને રેતી ચાળતા હતા ને વીજકરંટ લાગ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. બે સગા ભાઈ અને એક ભત્રીજાનું મોત થયું છે. મૃતકોના નામ પથુભાઈ જીલુભાઈ બોરીયા (32 વર્ષ), માનકુભાઈ જીલુભાઈ બોરીયા (30 વર્ષ), ભવદીપભાઈ બબાભાઈ બોરીયા (22 વર્ષ) છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર
આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી
આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો