World News/ તિબેટમાં પૂરથી તબાહી; લાખો લોકો લાપતા છતાં ચીને દુનિયાથી છુપાવ્યા મોત અને નુકસાનના આંકડા

Tibet માં આવેલા વિનાશક પૂર અને ગ્યિરોંગ પોર્ટના ધોવાયાની ઘટનાને ચીને સેન્સર કરી દીધી છે. સેંકડો લોકો લાપતા હોવા છતાં ચીન સાચું સત્ય છુપાવી રહ્યું છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories international World
Tibet

China’s censorship on Tibet flood disaster exposed: તિબેટમાં આવેલા વિનાશક પૂરને લઈને ચીનમાંથી સામે આવી રહેલી માહિતી પર હવે અનેક સવાલો ઊભા થયા છે. સરકારી મીડિયા દ્વારા રાહત અને બચાવ કામગીરીના વીડિયો બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ પૂરથી થયેલી વાસ્તવિક તબાહી, ગુમ થયેલા લોકો અને સ્થાનિક રહેવાસીઓની સ્થિતિ અંગે ખૂબ ઓછી માહિતી બહાર આવી રહી છે. શનિવારે ચીની સરકારી મીડિયાના વીડિયોમાં બચાવકર્મીઓ કાદવ અને પથ્થરો વચ્ચે ફસાયેલા લોકોને શોધતા અને બૂમો પાડતા જોવા મળ્યા હતા. જોકે, આ સિવાય નુકસાનની વ્યાપક તસવીર કે સ્થાનિક લોકોના નિવેદનો બહુ ઓછા જોવા મળ્યા છે.

ગ્યિરૉંગ પોર્ટનો વીડિયો બન્યો ચર્ચાનો વિષય

નેપાળ અને તિબેટ(Tibet) વચ્ચેના મહત્વપૂર્ણ સરહદી માર્ગોમાંથી એક ગ્યિરૉંગ પોર્ટ પૂરનાં પાણીમાં તણાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં પાણીનો જોરદાર પ્રવાહ પોર્ટના વિસ્તારને ખૂબ જ ઝડપથી પોતાની સાથે વહાવી જતો જોવા મળે છે. આ ઘટનાના દૃશ્યો વિશ્વભરમાં ફેલાયા, પરંતુ ચીનના સ્થાનિક ઈન્ટરનેટ અને સરકારી સમાચાર માધ્યમોમાં આ પ્રકારના દૃશ્યોની ઉપલબ્ધતા ખૂબ મર્યાદિત હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચીન તરફથી અત્યાર સુધીમાં માત્ર મર્યાદિત મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Tibet

ચીનમાં માહિતી પર નિયંત્રણના આક્ષેપ

અહેવાલો અનુસાર, ચીને(Tibet) મોટી સંખ્યામાં ઈમરજન્સી કર્મચારીઓને બચાવ કામગીરીમાં લગાવ્યા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ રાહત કામગીરીને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હોવાનું જણાવાયું છે. પરંતુ બીજી તરફ, સામાન્ય લોકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયો અને પૂર પછીની પરિસ્થિતિ દર્શાવતી તસવીરો ચીનના(Tibet) ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ કારણે ચીનની માહિતી નિયંત્રણ નીતિ ફરી ચર્ચામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેટલા લોકો ગુમ છે અને બચાવકર્મીઓએ અત્યાર સુધી કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, તે અંગે સંપૂર્ણ માહિતી સામે આવી નથી. અસરગ્રસ્ત પરિવારો માટે આ સૌથી મોટી ચિંતા બની છે. તિબેટમાં વિદેશી પત્રકારોની અવરજવર પર પણ કડક નિયંત્રણ હોવાના કારણે સ્વતંત્ર રીતે સ્થળ પર જઈને માહિતી મેળવવી મુશ્કેલ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

પ્રશ્ન એ છે કે આખરે સત્ય કેટલું સામે આવશે?

એક તરફ ચીન મોટા પાયે બચાવ અભિયાન ચલાવવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ પૂરથી થયેલી તબાહીના દૃશ્યો અને સ્થાનિક લોકોની સ્થિતિ અંગે મર્યાદિત માહિતી જ બહાર આવી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે તિબેટમાં(Tibet) આ કુદરતી આફતથી ખરેખર કેટલું નુકસાન થયું છે અને ગુમ થયેલા લોકો અંગે સંપૂર્ણ માહિતી ક્યારે જાહેર થશે.


આ પણ વાંચો: નેપાળ-તિબેટ પૂર વચ્ચે તળાવ ફાટવાનું જોખમ, રેસ્ક્યૂ ઓપરેશન રોકાયું,મૃત્યુઆંક 469, 977 લોકો ગુમ

આ પણ વાંચો: નેપાળની આફત વચ્ચે માનવતા શર્મસાર, મૃતદેહમાંથી દાગીના ચોરવાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: નેપાળમાં ગ્લેશિયર ફાટતાં તબાહી: 392નાં મોત, 1,500થી વધુ લોકો ગુમ; ચીનમાં પણ બીજા પૂરનું જોખમ