18મી સદીમાં બનેલી ટીપુ સુલતાનની તલવાર લંડનમાં 143 કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ માહિતી ઓક્શન હાઉસ બોનહેમ્સ દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હરાજીમાંથી મળેલી રકમ અપેક્ષા કરતા સાત ગણી વધારે છે. તે જ સમયે, આ તલવાર અત્યાર સુધી વેચાયેલી સૌથી મોંઘી ભારતીય અને ઇસ્લામિક વસ્તુ બની ગઈ છે.
લંડનમાં વહેચાઈ ટીપુ સુલતાનની તલવાર
કહેવાય છે ટીપુ સુલતાન મૈસુરના વાઘ કહેવાતા હતા. ટીપુ સુલતાન 1782 માં દક્ષિણ ભારતીય રાજ્ય મૈસુરના શાસક તરીકે સફળ થયા હતા, જ્યાં તેમણે સેરિંગપટમ ખાતે તેમના મહેલની આસપાસ એક અત્યાધુનિક અને આધુનિક દરબાર બનાવ્યો હતો. તેમણે તેમના શાસનનો મોટાભાગનો સમય અંગ્રેજો સામે દુશ્મનાવટમાં વિતાવ્યો હતો. જાણકારી મુજબ ટીપુ સુલતાનની હાર બાદ તેના બેડરૂમમાંથી તલવાર મળી આવી હતી. આ તલવાર ટીપુ સુલતાનના મહત્વના હથિયારોમાં સામેલ હતી. તેના હેન્ડલ પર સોનામાં ‘શાસકની તલવાર’ લખેલી છે.ટીપુની તલવાર મુઘલ શસ્ત્ર નિર્માતાઓએ જર્મન બ્લેડ જોઈને બનાવી હતી. તેને 16મી સદીમાં ભારત મોકલવામાં આવ્યું હતું. તલવારના હાથા પર સોનાથી શબ્દો કોતરેલા છે. જેમાં ભગવાનના પાંચ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઓક્શન હાઉસના નીમા સાગરચીએ જણાવ્યું કે હરાજી દરમિયાન તલવાર ખરીદવા માટે લોકોમાં ભારે હરીફાઈ હતી.
4 મે 1799 ના રોજ ટીપુ સુલતાનની હાર પછી, તેના ઘણા શસ્ત્રો સેરિંગપટમમાંથી લૂંટી લેવામાં આવ્યા હતા. આ તલવાર પણ તેમનામાં સામેલ હતી. માહિતી અનુસાર ટીપુસુલતાનની તલવાર બ્રિટિશ આર્મી ઓફિસર મેજર જનરલ ડેવિડ બાયર્ડને ટોકન તરીકે ભેટમાં આપવામાં આવી હતી.
51 કરોડમાં વેચાઈ ચીનના છેલ્લા રાજાની ઘડિયાળ
ટીપુ સુલતાનની તલવાર સિવાય ચીનના છેલ્લા રાજા અસિન જિયોરો પુયીની એક ઘડિયાળ પણ બીજી હરાજીમાં વેચાઈ છે. જે 51 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખરીદનાર એશિયન મૂળનો વ્યક્તિ છે, જે ફોન દ્વારા જોડાયેલ હતો.
આ ઘડિયાળ પુઇએ તેના રશિયન દુભાષિયાને ભેટમાં આપી હોવાનું કહેવાય છે. જેને બાદમાં રશિયામાં કેદ કરવામાં આવ્યો હતો. આ અત્યાર સુધી વેચાયેલી કોઈપણ રાજાની સૌથી મોંઘી ઘડિયાળ છે. અગાઉ 2017માં વિયેતનામના રાજા બાઓ દાઈની ઘડિયાળ 41 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.