Ahmedabad/ સરદારનગરમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી નોંધાવ્યો વિરોધ 

અમદાવાદના સરદારનગરમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી નોંધાવ્યો વિરોધ 

Ahmedabad Gujarat
sardarnagar સરદારનગરમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી નોંધાવ્યો વિરોધ 
  • પોલીસ પર ખોટી રીતે હેરાન કરવાનો આરોપ
  • 4 દિવસ પહેલાં પોલીસે એક વ્યક્તિને માર્યો હતો માર
  • નરોડા પાટિયાથી સરદારનગર સુધી બંધ

અમદાવાદ શહેરના સરદારનગર વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો છે. અને પોલીસની દમ્ન્કરીઓ નીતિનો વિરોધ નોધાવ્યો છે. નરોડા પાટિયાથી સરદારનગર સુધીના વિસ્તારમાં આવેલા તમામ વેપારીઓએ બંધ પાળ્યું છે. આશરે 200 જેટલી દુકાનના વેપારીઓએ બંધ પાળ્યો છે. પોલીસ પર ખોટી રીતે હેરાન કરવાના  આરોપ વેપારી દ્વારા મુકવામાં આવ્યા છે. અને પોલીસની દમનકારી નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ પોલીસે પીસીઆર વાન માં આ વિસ્તારમાં એક વ્યક્તિને માર માર્યો હતો. અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસકર્મીઓ ખોટી રીતે અમને હેરાન કરે છે. 50- 100 રૂપિયાના હપ્તાઓ લઈ જાય છે અને ગાડી ડિટેઇન કરવાની ધમકીઓ આપે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નજર અંદાજ કરવામાં આવે છે અને રોકવાની જગ્યાએ પ્રજાને હેરાન કરવામાં આવે છે. સરદારનગરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિઓ બંધ કરવાની પણ માગ કરી હતી.

સિંધિ સમાજના વેપારી અગ્રણીઓ, સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી, સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર, ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા વચ્ચે સવારે એક કલાક બેઠક થઈ હતી. બેઠકમાં વેપારીઓની માગ કરી હતી કે જે યુવકને માર માર્યો હતો તે પોલીસકર્મીઓનો સસ્પેન્ડ કરવામાં આવે, વેપારીઓને જે રીતે હેરાન કરવામાં આવે તે બંધ કરવામાં આવે. આ માગ પુરી કરવા માટે પોલીસ અધિકારીઓએ 10 તારીખ સુધીનો સમય માગ્યો છે. પોલીસકર્મીઓના આ જવાબથી વેપારીઓ સંતુષ્ટ છે. જો કે બંધ દુકાનો ખોલવા મામલે તમામ વેપારીઓ સાથે અગ્રણીઓ ચર્ચા કરશે. પછી જ દુકાનો ખોલવા મામલે નિર્ણય લેશે.