દુર્ઘટના/ ભરૂચમાં મકાન ધરાશાયી થતાં ત્રણ બાળકના કરૂણ મોત, માતા-પિતા સારવાર હેઠળ

ભરૂચના બંબાખાના વિસ્તારમાં અચાનક ધડાકાભેર મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેમાં અંદર ઉંઘી રહેલો પરિવાર દટાયો હતો અને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Top Stories Gujarat Others
મકાન ધરાશાયી
  • ભરૂચમાં મકાન ધરાશાયી, 3 બાળકના મોત
  • ભરૂચના બંબાખાના વિસ્તારમાં બની દુર્ઘટના
  • પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે
  • માતા-પિતા સારવાર હેઠળ
  • 3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના બંબાખાનામાં મકાન ધરાશાયી થતા 3 બાળકોના મોત નિપજ્યા છે.જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.જેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે બાળકોના માતા પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.જેઓ સારવાર હેઠળ છે.જો કે, ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના બંબાખાના વિસ્તારમાં અચાનક ધડાકાભેર મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેમાં અંદર ઉંઘી રહેલો પરિવાર દટાયો હતો અને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો :પરિવારના પાંચ સભ્યોના ગુમ થયાનો ભેદ અકબંધ, જામનગર પોલીસ શરૂ કરી શોધખોળ

આ પણ વાંચો :સુરતનો આ યુવક પરિવારની સામે જ ગંગાના મોજામાં સમાઈ ગયો, લક્ષ્મણઝુલા નજીકના ઘાટ પર થયો અકસ્માત

આ પણ વાંચો :વલ્લભીપુરથી બરવાળા સુધીનો રોડ અતિ બિસ્માર, અકસ્માતોને લઈને લોકો થયા હેરાન

આ પણ વાંચો :કડીનો લોકોનો પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ, શેરીના શ્વાનની અંતિમવિધી કરી રાખ્યું બેસણું