Not Set/ ભૂકંપનાં પ્રચંડ આંચકાથી ઇન્ડોનેશિયા ધ્રુજ્યુ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 નોંધાઇ

ઇન્ડોનેશિયાનાં ભારે વસ્તી ધરાવતા જાવા દ્ધિપ પર દક્ષિણી દરિયાકાંઠે આજે પ્રચંડ ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૮ જેટલી આંકવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં સુત્રોએ કહ્યુ છે કે દક્ષિણ-પશ્ચિમમાં સુમુરથી આશરે ૧૪૭ કિલોમીટરનાં અંતરે સ્થિત વિસ્તારમાં ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા વધારે હોવાના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. […]

World
indonesia earthquake 1160992 ભૂકંપનાં પ્રચંડ આંચકાથી ઇન્ડોનેશિયા ધ્રુજ્યુ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 નોંધાઇ

ઇન્ડોનેશિયાનાં ભારે વસ્તી ધરાવતા જાવા દ્ધિપ પર દક્ષિણી દરિયાકાંઠે આજે પ્રચંડ ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૮ જેટલી આંકવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં સુત્રોએ કહ્યુ છે કે દક્ષિણ-પશ્ચિમમાં સુમુરથી આશરે ૧૪૭ કિલોમીટરનાં અંતરે સ્થિત વિસ્તારમાં ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા વધારે હોવાના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે સુલાવેસી દ્ધીપનાં પાલુમાં આટલી જ તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેમાં ૨૨૦૦થી વધારે લોકોનાં મોત થયા હતા. જ્યારે હજારો લોકો લાપતા થઇ ગયા હતા.

pjimage 79 ભૂકંપનાં પ્રચંડ આંચકાથી ઇન્ડોનેશિયા ધ્રુજ્યુ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 નોંધાઇ

આ પહેલા ૨૬મી ડિસેમ્બર ૨૦૦૪નાં દિવસે સુમાત્રામાં દરિયાથી અંતરે ૯.૧ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યા બાદ અભૂતપૂર્વ નુકસાન થયુ હતુ. જેના કારણે હિન્દ મહાસાગરમાં સુનામી ત્રાટકતા ભારે નુકસાન થયુ હતુ. માત્ર ઇન્ડોનેશિયામાં જ આના કારણે ૧૭૦૦૦૦ લોકોનાં મોત થયા હતા. જ્યારે હિન્દ મહાસાગર નજીકનાં દેશોમાં આની અસર થઇ હતી. કુલ ૨.૨ લાખ લોકોનાં મોત થયા હતા. ઇન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને સુનામીનાં મોજા ઉછળતા રહે છે. દુનિયાનાં સૌથી  ભૂંકપ પ્રભાવિત વિસ્તાર તરીકે ઇન્ડોનેશિયાને ગણવામાં આવે છે.

61558304e803462ea29609fc4d565eca 18 ભૂકંપનાં પ્રચંડ આંચકાથી ઇન્ડોનેશિયા ધ્રુજ્યુ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 નોંધાઇ

ઇન્ડોનેશિયા ઉપરાંત ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, હેતીમાં પણ વારંવાર ધરતીકંપ આવતા રહે છે. ઇન્ડોનેશિયામાં નવેસરથી આવેલા પ્રચંડ ભૂકંપ બાદ કોઇ નુકસાન થયુ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી રહી છે. ભૂકંપની તીવ્રતાને લઇને વિરોધાભાસની સ્થિતી સર્જાઇ છે. કેટલાક અહેવાલમાં તીવ્રતા ૬.૮ આંકવામાં આવી છે. જ્યારે કેટલાક અહેવાલમાં તીવ્રતા ૭.૫ આંકવામાં આવી છે. જેથી દુવિધાભરી સ્થિતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.