સંસદના બજેટ સત્રના આજે છઠ્ઠા દિવસે લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ લતા મંગેશકર માટે શોક સંદેશ વાંચ્યો. આ પછી સંસદની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.રાજ્યસભામાં લતા મંગેશકરની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ એક કલાક માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
In passing away of #LataMangeshkar, country has lost a legendary playback singer, a compassionate human being & a towering personality in the world of Indian music & film industry. Her passing away marks end of an era & has created irreparable void in world of music: RS Chairman pic.twitter.com/J5eRPd9b6h
— ANI (@ANI) February 7, 2022
બંધારણ SC અને ST ઓર્ડર સુધારા બિલ 2022 આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં નિવેદન આપશે. કેર બોર્ડની ચૂંટણી માટેની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આજે આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. સામાન્ય બજેટ 2022-23 પર આજથી ચર્ચા શરૂ થશે.