કાર્તિક વાજા, ઊના @મંતવ્ય ન્યૂઝ
ઊના દેલવાડા દિવ રોડ ગોજારો બની રહ્યો છે. અને ત્રણ દિવસ દરમ્યાન બાઇક અકસ્માતની ધટના સર્જાતા 6 માનવ જીંદગી છીનવાય ગયેલ છે. અને વધુ એક અકસ્માતની ધટના બનતા બે ના કરૂણ મોત થયા છે. અને ત્રણને ગંભીર ઇજા થતાં હોસ્પીટલે સારવાર હેઠળ લોહીલુહાણ હાલતમાં ખસેડાયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ સાંજના 4 વાગ્યાના સમય આસપાસ દેલવાડા રોડ પર આવેલ એલજીપી પંપ પાસે દેલવાડા તરફ જતી આવતા ત્રિપલ બાઇક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાતા બે બાઇક ચાલકોના ધટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયેલા અને બાઇક પાછળ બેઠેલા એક મહીલા સહીત ત્રણને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલીક 108 ઇમરજન્સીમાં ખાનગી હોસ્પીટલે ખસેડાયેલ છે. બાઇક સવાર પરેશભાઇ શરદચંદ્ર પંડ્યા ઉ.વ.45 રહે.દિવ તેમજ બીજા બાઇક સવાર સુનિલભાઇ અશોકભાઇ રાઠોડ ઉ.વ.24 રહે. સૈયદ રાજપરા વાળાનું આ અકસ્માતમાં કરૂણ મોત થતાં મૃતકની મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલમાં પી એમ માટે ખસેડાયેલ છે. જ્યારે અન્ય બાઇક ચાલક તેમજ તેની પાછળ સવાર સુરેશભાઇ સોલંકી ઉ.વ.35 રહે. વણાંકબારા, દિવ, સવિતાબેન ઉ.વ.60 રહે.વણાંકબારા દિવ, તેમજ હિતેષભાઇ દિલીપભાઇ બાંભણીયા ઉ.વ.19 રહે.સૈયદ રાજપરાને ગંભીર ઇજા થયેલ છે.
આ અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે ત્રણ બાઇકો દૂર દૂર સુધી ઢસળાઇને ફેકાઇ ગયેલ અને ભુકો બોલી ગયેલ અકસ્માત સ્થળે કલાકો સુધી વાહન વ્યવહાર અટકી પડતા ટ્રાફીક જામ થઇ ગયેલ અને લોકોના ટોળાઓ એકઠા થઇ ગયેલા સેવાભાવી યુવાનોએ મૃતક અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક દવાખાને ખસેડવા મદદ કરેલ હતી. આ અકસ્માતમાં એક બાઇક ચાલક અને સવાર સૈયદ રાજપરા ગામના તેમજ બે બાઇક ચાલક અને સવાર દિવ વિસ્તારના હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માતની ધટના બનતા પોલીસ ધટના સ્થળે પહોચી ગયેલ અને ટ્રાફીક ખુલ્લો કરાવેલ તેમજ આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરેલ છે.