ટીવી સિરિયલોનું પરિણામ આવી આવ્યું છે, એટલે કે આ અઠવાડિયેનો ટીઆરપી રિપોર્ટ બહાર આવ્યો છે. આ વખતે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપીની સૂચિમાંથી ગાયબ છે. બીજી તરફ, બિગ બોસ પણ ટોપ 5 લિસ્ટ સ્થાન મેળવી શક્યો નથી. દરેક વખતની જેમ આ વખતે પણ સિરિયલ ‘અનુપમા’ પ્રથમ નંબરે છે. આ વખતે સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ પણ ટીઆરપીની લીસ્ટમાં એન્ટ્રી મારી છે.
અનુપમા
રૂપાલી ગાંગુલીની સિરિયલ ‘અનુપમા’ ફરી એકવાર ટીઆરપીની લિસ્ટમાં ટોપ પર છે. દર વખતની જેમ આ સિરિયલે પણ મોટા શો પાછળ છોડી માથા પર નંબર વનનો તાજ શણગાર્યો છે.
ઇમલી
સ્ટાર પ્લસની સિરિયલ ‘ઇમલી’ પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ટ્રેકને પ્રેક્ષકો દ્વારા ખૂબ પંસદ કરવામાં આવ્યો છે. તેથી જ આ શો આ અઠવાડિયે પણ બીજા સ્થાને છે.
ગુમ હૈ કિસી કે પ્યાર મેં
સિરિયલ ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ પણ દર્શકોને ખૂબ પસંદ આવી છે. આથી જ સિરિયલે ફરી એકવાર ટીઆરપીની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સીરીયલ ટીઆરપીની યાદીમાં આ ત્રીજા ક્રમે છે.
કુંડલી ભાગ્ય
સિરિયલ ‘ કુંડલી ભાગ્ય’ માં પ્રીતાની ભાભી લગ્ન કરવા જઇ રહી છે. અને આ ટ્રેકને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. આથી જ આ શો ટીઆરપીની યાદીમાં ચોથા ક્રમે છે.
યે રિશ્તા ક્યા કહલાતા હૈ
સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં મોહસીન ખાન અને શિવાંગી જોશીના અભિનય લોકોના દિલ જીતી રહ્યો છે. નાયરાના અવસાન પછી શિવાંગી જોશી હવે તેની હમશક્લ સીરતની ભૂમિકામાં જોવા મળી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…