Entertainment News: બોલિવૂડ સિનેમામાં ફિલ્મ નિર્માતા બોની કપૂરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેમની આગામી ફિલ્મ નો એન્ટ્રીમાં અનિલ કપૂર, સલમાન ખાન, ફરદીન ખાન મુખ્ય ભૂમિકા હતા. તેમનો ભાઈ અનિલ કપૂર સાથે સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. સિક્વલમાં બોનીએ વરૂણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂરને કાસ્ટ કર્યો છે. અનિલને ન લેવાથી બોનીથી તે નારાજ થયા છે.
બોનીએ કહ્યું કે, આના પહેલા પોતાના ભાઈ અનિલને નો એન્ટ્રી સિક્વલ માટે અને કામ કરી ચુકેલા કલાકારો વિશે ખબર હતી. તેઓ ગુસ્સે થઈ ગયા કે આ ખબર પહેલેથી જ મીડિયામાં લીક થઈ ચુકી છે. બદનસીબે જ્યારે મને ખબર પડી કે તેઓ આ ફિલ્મનો ભાગ બનવા માંગતા હતા ત્યારે તેમના માટે જગ્યા નહોતી.
વધુ જણાવતા કહે છે કે હું સમજાવા માંગતો હતો કે મેં આ નિર્ણય કેમ લીધો. વરૂણ અને અર્જુન બહુ સારા મિત્રો છે. દિલજીત મોટો સ્ટાર બની ગયો છે. એમની ફેન ફોલોઈમગ જબરજસ્ત છે. હું ફિલ્મની વાર્તાને સમયના અનુરૂપ બનાવવા માંગુ છું. એટલે મેં કાસ્ટિંગ કર્યું હતું. એટલે આ બધી બાબતોના કારણે મારો ભાઈ મારી સાથે વાત નથી કરતો.
આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ
આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા
આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત