Not Set/ ટીવી કલાકાર અનિરુધની હાલત ખરાબ આઇસીયુમાં શિફ્ટ

અનિરુધ દવેની હાલત પહેલા કરતા વધુ  છે

Entertainment
aaa ટીવી કલાકાર અનિરુધની હાલત ખરાબ આઇસીયુમાં શિફ્ટ

કોરોના વાયરસની બીજી લહેર વધુ ગંભીર સ્વરૂપ લઈ રહ્યુ છે. એક પછી એક બોલીવુડ, ટેલીવુડ સહિત એન્ટરટેન્ટમેન્ટ દુનિયાના કલાકારો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ઘણા સંગીતકાર, ગાયકો અને કલાકારો આ ફના દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. ત્યારે તાજેતરમાં જ ટીવી જગતના જાણીતા અભિનેતા અને પટિયાલા બેબ્સ ફેમ અભિનેતા અનિરુધ દવેએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને કહ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે.
અનિરુધ દવેએ 23 એપ્રિલે એક પોસ્ટ શેર કરી હતી જેની સાથે તેણે તેના કોરોના થયો હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ આજે જાણવા મળ્યું છે કે તેની હાલત ગંભીર છે અને તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

હવે અનિરુધની સ્થિતી પહેલા કરતા વધુ ખરાબ છે. જેના કારણે તેને આઈસીયુમાં શિફ્ટ કરવો પડ્યો છે. અભિનેતાની એક મિત્રએ આ માહિતી આપી હતી. અનિરુધ દવેની મિત્ર અને ટીવી અભિનેત્રી આસ્થા ચૌધરીએ તેની સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે અનિરુધ દવેની હાલત પહેલા કરતા વધુ  છે, જેના કારણે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.