વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ સંસ્થાના વડા આદર પૂનાવાલા કહે છે કે ફોન કોલ્સ એ સૌથી ખરાબ બાબત છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના ચીફ એક્ઝિક્યુટિવ આદર પૂનાવાલાએ ખુલાસો કર્યો છે કે તેમને COVID-19 રસી માટે મોટી સંખ્યામાં ફોન આવી રહ્યા છે અને તેમને ધમકીઓ પણ મળી રહી છે.
તેમણે કહ્યું, ‘કોલ કરનારાઓમાં ભારતીય રાજ્યોના મુખ્ય પ્રધાનો, વેપાર મંડળના વડા અને અનેક પ્રભાવશાળી હસ્તીઓ શામેલ છે. આ લોકો ફોન પર કોવિશિલ્ડ રસી તાત્કાલિક સપ્લાય કરવાની માંગ કરે છે. આદર પુનાવાલા કહે છે કે કોવિશિલ્ડ રસી મેળવવા માટે અપેક્ષા અને આક્રમકતાનું સ્તર અભૂતપૂર્વ છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં, કોરોનાનું સંક્રમણ પૃથ્વી પરના બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારતમાં ફેલાઈ રહ્યું છે. જેનાથી વ્યાપક પ્રમાણમાં ભય, ગભરાટ અને મૃત્યુ થઈ રહ્યા છે.
અહીં, કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ આદર પૂનાવાલાને ‘વાય’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. 16 એપ્રિલના રોજ એસઆઈઆઈમાં સરકાર અને નિયમનના નિયામક પ્રકાશકુમારસિંહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને એક પત્ર લખીને પૂનાવાલાને સુરક્ષા આપવાની વિનંતી કરી, જેના પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
‘વાય’ કેટેગરી સુરક્ષા
સિંહે પોતાના પત્રમાં કહ્યું છે કે પૂનાવાલાને વિવિધ જૂથો તરફથી કોવિડ -19 રસીના સપ્લાય અંગે ધમકીઓ મળી રહી છે. સિંહે એમ પણ કહ્યું હતું કે, ‘અમે ભારત સરકાર સાથે ઉભા રહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહેનતુ નેતૃત્વ હેઠળ કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યા છીએ.’ ‘વાય’ કેટેગરીની સુરક્ષા હેઠળના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના સશસ્ત્ર કમાન્ડો પૂનાવાલાની સાથે હંમેશા રહેશે અને દેશના કોઈપણ ભાગની યાત્રા કરે ત્યારે પણઆ કમાન્ડો ઉદ્યોગપતિ સાથે રહેશે. ‘વાય’ કેટેગરીની સુરક્ષા હેઠળ પૂનાવાલા સાથે આશરે 4-5 સશસ્ત્ર કમાન્ડો હશે.