Banaskantha News : અસહ્ય ગરમી અને હીટવેવને કારણે લોકોના સ્વાસ્થય પર માઠી અસર પડી રહી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ગરમીને કારમે હાર્ટએટેક અને લૂ લાગવાના બનાવોનું પ્રમાણ વધ્યું છે.જેમાં બનાસકાંઠાના દિયોદરમાં હાર્ટએટેકથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.
ગરમીનો પારો ઉંચે જતા હાર્ટએટેકને કારણે દિયોદર અને વખાના બે યુવકોને હાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેમના મોત નીપજ્યા હતા.દિયોદરમાં બે દિવસ પહેલા શૈલેષ દવે નામની વ્યક્તિને હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે વખા ગામમાં રહેતા લેવા પરમાર નામની વ્યક્તિને પણ હાર્ટએટેક આવતા તે મોતને ભેટ્યા હતા. આમ અસહ્ય ગરમીને કારણે હાર્ટએટેકનું પ્રણામ ખૂબ વધ્યું છે.
આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી
આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ
આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?