વડોદર
વડોદરના નવાપુરા વિસ્તારમાં દુષિત પાણી પીવાને કારણે ચાર વર્ષની એક બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીના મોત બાદ સરકારી તંત્ર જાગ્યુ હોય તેમ નવાપુર વિસ્તારમાં પાણીના ટેન્કરો અને પ્રાથમિક સારવારની સેવા એમ્બ્યુલન્સ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
મહત્વનું છે કે તંત્રની બેદરકારીના કારણે ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીના મોત બાદ મહાનગર પાલિકા કામે લાગી હોય તેમ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્રદુષિત પાણી પીવાને કારણે નવા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો વધી રહ્યા છે.