હિંમતનગર,
હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવના મંદિરે ૩૦૦ કિલો ઘીનુ શિવલીંગ દર્શાનાર્થે શિવરાત્રીના દીવસે ભક્તોના માટે વિશેષ આયોજન કરીને તૈયાર કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લીધો હતો.
રાયગઝના વૈજનાથ મહાદેવ મંદીર ખાતે દર વર્ષે શિવરાત્રી પર્વે અનોખા શિવલીંગ ના દર્શન ભક્તો માટે નિર્માણ કરવામાં આવે છે, અગાઉ રુદ્રાક્ષમાંથા વિશાળ શિવલીંગ મુકવામાં આવ્યુ હતુ.
તો શ્રીફળના શિવંલીગ પણ વિશાળ નિર્માણ કરવામાં આવ્યુ હતુ અને તે પણ અગાઉ ભક્તો માટે આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ હતુ. આ વર્ષે ભક્તો માટે શુધ્ધ ઘીમાંથી શિવલીંગનુ નિર્માણ કરવામા આવ્યુ હતુ.
આ માટે ત્રણસો કીલો ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આમ શિવલીંગનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. સાથે જ અહી વિશ્વ કલ્યાણ અર્થે જુદા જુદા આકારના યજ્ઞ કુંડ નિર્માણ કરવામાં આવ્યા હતા અને જેના દ્રારા ત્રીદીવસીય ૧૧ કુંડી મહારુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો છે, જેને લઇને ભક્તોએ પણ દુર દુર થી આવીને દર્શનનો લાભ લીધો હતો.