Not Set/ વલસાડ/ 1.5 કરોડની ચોરી મામલે, ફરિયાદી જ નીકળ્યો આરોપી

વલસાડ ના પારડી,પારસી સ્ટ્રીટ ખાતે આવેલ જયજલારામ જવેલર્સ નામની દુકાનમાંથી મોટી રકમના સોનાચાંદીના દાગીનાની ચોરીની ચકચારી ઘટનાના ગુનાનો ભેદ પારડી પોલીસ દવારા ઉકેલવામાં આવ્યો છે.  ઘરકા ભેદી લંકા ઢાયેની  જેમ ખુદ ફરિયાદી જ આ કેસ માં આરોપી બની સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસી સ્‍ટ્રીટમાં આવેલ “જય જલારામ જવેલર્સ” નામની […]

Gujarat Others
galaxy 1 વલસાડ/ 1.5 કરોડની ચોરી મામલે, ફરિયાદી જ નીકળ્યો આરોપી

વલસાડ ના પારડી,પારસી સ્ટ્રીટ ખાતે આવેલ જયજલારામ જવેલર્સ નામની દુકાનમાંથી મોટી રકમના સોનાચાંદીના દાગીનાની ચોરીની ચકચારી ઘટનાના ગુનાનો ભેદ પારડી પોલીસ દવારા ઉકેલવામાં આવ્યો છે.  ઘરકા ભેદી લંકા ઢાયેની  જેમ ખુદ ફરિયાદી જ આ કેસ માં આરોપી બની સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસી સ્‍ટ્રીટમાં આવેલ “જય જલારામ જવેલર્સ” નામની દુકાનમાં મોટી રકમના સોનાચાંદીના દાગીના તથા રોકડરકમની ચોરી થયાંની ફરિયાદ પોલીસ મથકે નોધાઇ હતી. આ અંગે પારડી પોલીસ તાત્કાલીક ધટના સ્થળે પહોચી અને જય જલારામ જવેલર્સના માલીક દીલીપભાઇ બળવંતભાઇ પારેખને મળી બનાવ સંબંધે માહીતી મેલ્વીહાતાઈ.

જેમ તદુકાન માલિકે જણાવ્યું હતું કે, તેઓ  26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર દરમ્યાન પોતાનું મકાન બંધ કરી પરીવાર સાથે બહારગામ ગયેલા હતા . જે દરમ્યાન કોઇ ઇસમે ફરીયાદીના મકાનમાં ત્રીજામાળે આવેલ સ્ટેર કેબીનની દિવાલમાં આવેલ બારીની ગ્રીલના ખીલા કોઇ સાધન વડે કાપી નાંખી, ગ્રીલ ઉપર કોઇ સાધન વડે બળ વાપરી ખેંચી નાંખી, બારી વાટે મકાનમાં પ્રવેશી, મકાનમાં ગ્રાઉન્ડફ્લોર ઉપર મકાનના આગળના ભાગે આવેલ દુકાનમાં રાખેલ લોખંડની તિજોરીમાંથી તથા દુકાનમાં દિવાલમાં બનાવેલ લાકડાના ખાનાઓમાં રાખેલ મોટી રકમના સોનાચાંદીના દાગીનાઓ તથા રોકડરકમની ચોરી થયેલ હોવાનું જણાવ્યુ હતું.

સાથે સાથે દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરાનું ડી.વી.આર ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પારડી પોલીસે ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જે તપાસ માં ફરીયાદી તથા ઘરના સભ્યોના મોબાઇલ ફોનના ડેટા ટેકનિકલ સોર્સથી મેળવી તથા હયુમન ઇન્ટેલીજન્સ આધારે ફરીયાદીની આર્થીક પરિસ્થિતી બાબતે માહીતી મેળવતા ફરીયાદી મોટા આર્થીક બોજ તળે હોવાનું જણાઇ આવ્યું હતું.

જેથી પોલીસ ને ફરીયાદીની ફરીયાદ ખોટી હોવા અંગેનો શક વધુ મજબુત થતા ફરીયાદીની વિવીધ મુદ્દાઓ સંબંધે સતત પ્રશ્નોત્તરી કરી કડકાઇથી પુછપરછ હાથ ધરતા ફરીયાદી ભાંગી પાડ્યો હતો. અને ખોટી ફરિયાદ કરી હોવાની વાત પોલીસ સમક્ષ કબુલી હતી.

પોલીસ સામે ની કબુલાત માં દુકાન માલિકે  પોતાને ધંધામાં મોટી રકમનું દેવું થઇ ગયું હતું. અને છેલ્લા ત્રણ વર્ષથી મંદીના કારણે પોતાનો વ્યવસાય બરાબર ચાલતો નહી હોવાથી પોતે ખુબ જ આર્થીક ભીંસમાં આવી ગયા હતા. અને દેવું ચુકવવામાં ધીમે ધીમે પોતાની મોટા ભાગની મુડી પણ ખર્ચાઇ ગઈ હોવાને કારણે પોતે છેલ્લા એક વર્ષથી ખુબ જ માનસીક તણાવમાં રહેતા હતા અને અનેક વખત આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ પોતાના બાળકોનો વિચાર આવતા આત્મહત્યાણો વિચાર પડતો મુક્યો હતો.

પોતે પોતાની દુકાનના સોનાચાંદીના દાગીનાનો રૂપીયા 1.30 કરોડનો વિમો ઉતરાવ્યો હતો. જેની શરતો પ્રમાણે જો પોતાની દુકાનમાં રાખેલ સોનાચાંદીનાના દાગીનાના સ્ટોકની ચોરી અંગે ફરીયાદ કરે તો તેને વિમાની રકમ મળી જાય અને તેનું તમામ દેવું ચુકતે થઇ જાય.

આ વિચાર આવતા તેણે ગઇ 26 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે એકલા હતા ત્યારે સવારના આશરે સાડા પાંચ થી સાડા દસેક વાગ્યા દરમ્યાન પોતાની પાસેની લોકર તથા દુકાનના શટરના દરવાજાની ચાવી વડે શટર તથા તિજોરી ખોલી તેમા રહેલ પરચુરણ દાગીનાઓ વેરવિખર કરી દઇ, દુકાનના કબાટના ખાનાઓ ખોલી નાંખી, દાગીનાના ખાલી બોક્ષો કાઉન્ટર ઉપર તથા આજુબાજુમાં ગોઠવી દઇ, દુકાનના સીસીટીવી કેમેરાના ડી.વી.આરનો વાયર કટ્ટરથી કટ કરી ડી.વી.આર દુકાનમાંથી લઇ દુકાનની બહાર નિકળી ઘરમાં દાદર નીચે બનાવેલ કબાટમાં મુકી દીધા હતા.

ત્યારબાદ  પોતે મકાનમાં ત્રીજા માળે આવેલ ટેરેસ કેબીનના પુર્વ તરફની દિવાલમાં આવેલ દરવાજાની બાજુની બારીની ગ્રીલમાં લગાડેલ ખીલાને એકસોબ્લેડથી કાપી બારીની ગ્રીલ કાઢવાનો પ્રત્યન કર્યો હતો. પરંતુ બે ખીલા કાપ્યા બાદ પોતે થાકી જતા અને પોતાને સુરત જવાનું પણ મોડું થતુ હોય ઘરેથી મકાનને તાળું મારી નજીકમાં રહેતા પોતાના સસરાને સાથે લઇ સુરત જવા નીકળી ગયા હતા. પરંતુ બારીની ગ્રીલ કાપવામાંઅસફળ અને મકાનમાં ચોરી કરવા માટે પ્રવેશવાનો કોઇ માર્ગ નહી હોવાથી ચોરી થયાની ઘટના પોલીસ માનશે નહી તેવું વિચારી ફરીથી માનસીક તણાવમાં આવી ગયા હતા.

સાવધાન..! હવે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની રક્ષા કરવા સજ્જ થઇ રહી છે સુરતની યુવતીઓ

ગેલેક્ષી બિલ્ડર ગ્રુપ વિરુદ્ધ કરોડોની છેતરપિંડીની ફરિયાદ

મોડલ સ્કૂલનો ઉડ્યો છેદ, શિક્ષણના ધામમાં હવે છાત્રોને મજૂરી કરવાનો આવ્યો વારો

અને તે જ દિવસે બપોરના આશરે બે થી અઢી વાગ્યા દરમ્યાન તેઓએ પોતાને ત્યાં અગાઉ સેલ્સમેન તરીકે કામ કરતા રીતેષભાઇ નવિનભાઇ કોળી પટેલને વોટ્સએપ કોલ કરી રડતા રડતા તેની પાસે મદદ માંગી હતી અને જો મદદ ના મળે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી જે સાંભળી રિતેશ દુકાનદાર ને મદદ કરવા તૈયાર થઈ ગયો હતો. દુકાનદારનું બાકી રહી ગયેલું કામ કરવા પહુચી ગયો હતો અને બારીની ગ્રીલ તોડી નાખી હતી.

આમ સમગ્ર પોલીસ તપાસમાં આખારે પોતાના માથે રહેલું દેવું ચૂકવી ન શકતા દુકાનદારે  વિમાની રકમ મેળવવા માટે ચોરી નું તરખટ કર્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ‘બી સમરી વિથ પ્રોસિક્યુશન’ કરવામાં આવનાર છે અને જે ફરિયાદમાં આરોપી સામે ગુના લાગ્યા હતા એ હવે ફરિયાદી સામે લગાડવામાં આવશે. અને પોલીસ દ્વારા પણ પોલીસ ને ગેર માર્ગે દોરી ખોટી ફરિયાદ કર્યાની ફરિયાદ ફરિયાદી સામે કરવામાં આવનાર છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.