અભિનેતા વરૂણ ધવન અને તેમની ગર્લ ફ્રેન્ડ નતાશા દલાલ બોલિવૂડના સૌથી વધુ ચર્ચા તિજોરીઓ માંથી એક છે. બંનેના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી હતી કે વરૂણ ધવન અને નતાશા વર્ષ 2020માં લગ્નના બંધનથી બંધાઈ જશે. જો કે કોરોના મહામારીના પગલે એ થઈ શક્યું નહી.પરંતુ વરૂણ ધવને એક ઈંટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 2021 એ વર્ષ હોય શકે કે હું અને નતાશા અમારા સંબંધને આગળના લેવલ સુધી લઈ જઈએ.
Pakistan / પાકિસ્તાનમાં પાવર કટ બાદ થયો Memesનો વરસાદ,જુઓ રમૂજી તસવીરો….
આ ઉપરાંત અભિનેતાએ કહ્યું કે, જો કોરોનાની સ્થિતિ સુધરી જશે તો નતાશા સાથે જલદીથી લગ્ન કરી લેશે. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, દરેક લોકો છેલ્લા 2 વર્ષથી લગ્નની વાત કરી રહ્યા છે. જો કે હજુ કંઈ જ નક્કી નથી. દુનિયામાં હજુ પણ બહુ જ અનિશ્ચિતતા છે. પરંતુ જો આ કોરોનાની અસર ઓછી થઈ જશે તો કદાચ અમે લગ્ન શકીએ. મારો મતલબ છે કે હું એમ ઈચ્છુ છુ કે આ સમય જલદી આવે.
Pakistan / પાકિસ્તાનમાં વીજળી ડૂલ, કરાચી, ઇસ્લામાબાદ સહિતના શહેરો અંધાર…
વરૂણ ધવનના ચાહકો એ જાણી લે કે વરૂણ અને નતાશા કેટલાક વર્ષોથી ડેટ કરી રહ્યા છે. બંને બાળપણથી એકબીજાને ઓળખે છે. કરીના કપૂરના રેડિયો શો વ્હાટ વીમેન વાંટ ઉપર વરૂણે નતાશાને પ્રેમ કરતો હોવાની વાત કરી હતી. તેણે કહ્યુ હતું કે, પહેલી વખત જ્યારે હું નતાશાને મળ્યો હતો ત્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી. અમે અગ્યાર અથવા તો બારમાં ધોરણ સુધી મિત્રો હતા. અમે ખુબજ નજીકના મિત્રો હતા.મને હજુ પણ યાદ છે કે અમે Maneckji Cooper ગયા હતા. તે યલો ટીમમાં હતી અને હું રેડ ટીમમાં હતો. આ એક બાસ્કેટબોલ કોર્ટમાં થયો હતો. લંચ બ્રેકમાં મેં નતાશાને કેન્ટીનમાં ચાલતી જોઈ હતી. મને ત્યારે લાગ્યું કે કદાચ મને નતાશા સાથે પ્રેમ થઈ ગયો છે. અને ત્યાંથી આ સમગ્ર કહાની શરૂ થઈ.
Gujarat / કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ…
ઉલ્લેખનિય છે કે કરીના શો પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે વરૂણ ધવન અને નતાશાની સગાઈ થઈ ગઈ છે. કરીનાએ વરૂણની સાથે વાતચીત દરમિયાન નતાશાને તેમની મંગેતર કહી હતી. જેના પછી દરેક લોકોને જાણકારી મળી હતી. વરૂણ ધવનના ફિલ્મી જગતની વાત કરીએ તો તે છેલ્લે કુલી નંબર 1માં સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ તેના પિતા ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મ 25 ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ વીડિયો ઉપર રિલીઝ કરવામાં આવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…