મત્સય ઉદ્યોગ માટે વેરાવળ ગુજરાત રાજ્યનું હબ ગણાય છે. ત્યારે જમ્મુ કાશ્મીરના 28 વિદ્યાર્થીઓ ફિશ પ્રોસેસિંગના અભ્યાસ માટે આવી પહોચ્યા છે. વેરાવળ, સોમનાથ સહિત આસ પાસના સમુદ્ર કિનારા પરની જીવ સૃષ્ટિ અંગે માહિતગાર બની વિદ્યાર્થીઓ રોમાંચિત બન્યા.
ફિશરીઝ કોલેજ પણ કાર્યરત
મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે વેરાવળ ગુજરાત રાજ્યનું હબ ગણાય છે. ગુજરાતના 80ટકા ફિશ પ્રોસિસિંગ અને એક્સપોર્ટ પ્લાન્ટ કાર્યરત છે. તો સાથે સાથે ફિઝ વેરાવળના સમુદ્ર તટ પર પ્રશિક્ષણ માટે જમ્મુ કાશ્મીરના 28 વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર ની મદદ થી જમ્મુ કાશ્મીર ના વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ ટુર પર વેરાવળ પહોંચ્યા છે. તો સાથેસાથે ફિશરીઝ કોલેજ પણ આવેલી છે. જેમાં દરિયાઈ માછલીઓ પર સંશોધન સાથે મત્સ્ય પાલનના અનેકવિધ અભ્યાસ ક્રમો ચાલી રહ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરની 28 જેટલા વિદ્યાર્થી તેમજ બે વૈજ્ઞાનિકો વેરાવળ સમુદ્ર કિનારે દરિયાઈ માછલીઓ તેમજ જીવ સૃષ્ટિ અંગે પ્રશિક્ષણ માટે આવી પહોંચ્યો હતા.
ખાસ કરીનેને વેરાવળ ખાતે ફિશરીઝ ક્ષેત્રે અનેક આયામો અને સ્ત્રોત છે. જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ વેરાવળ, સોમનાથ આસપાસના સમુદ્ર કિનારા પર દરિયાઈ જીવ સૃષ્ટિ સાથે વેરાવળ જીઆઇડીસીમાં ફિશ એક્સપોર્ટ યુનિટમાં ફિશ ફોર્ઝન પ્રોસેસથી પણ માહિતગાર થઈ ખુબજ રોમાંચિત જણાયા હતા. વિદ્યાર્થીઓના સમૂહ માં 28 વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરના તેમજ કેરલા, ઓરિસ્સા, અરુણાચલ સહિત 33 વિદ્યાર્થીઓ જોડાયા હતા.
છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાંના દરેક ક્ષેત્રે વિકાસ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. તો સાથે સાથે યુવા વર્ગ ને રોજગારી મળી રહે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે. ત્યારે કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિભાગ અંતર્ગત ખાસ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ગણી શકાય.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…