ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાની તિબયત સારી ન હોવાથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમને ખાનગી હોસ્પિટલ સ્ટર્લિંગમાં સારવાર અર્થે દાખલ કરવમાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દિગ્ગજ નેતાને ડેંગ્યું થયો હોવાની માહિતી મળી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે.
ચૂંટણી સમયે વજુભાઇની માંદગી ભાજપને ભારે પડી શકે છે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના અને સંગઠનના અન્ય દિગ્ગજ નેતા વિજય રૂપાણીને ભાજપે પંબાજ અને ચંડીગઢની જવાબદારી સોંપી છે. તેવામાં સૌરાષ્ટ્ર સ્તરે જે વેક્યુમ ક્રિએટ થયું તે વજુભાઇ વાળા જ ભરી શકે તેમ છે. જેથી વજુભાઇ વાળા ઝડપથી સાજા થાય તે ભાજપ માટે ખુબ જ મહત્વનું છે.