રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૨૪-૦૮-૨૦૨૧ના રોજ ન્યારા હેડવર્કસ, ન્યારા પમ્પીંગ સ્ટેશન, ઘંટેશ્વર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, માધાપર ખાતેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શ્વાન ખસીકરણ કેન્દ્રની મુલાકાત કરી હતી.રાજકોટ મહાનગરપાલિકાને નર્મદા પાઈપલાઈન મારફત ન્યારા પમ્પીંગ સ્ટેશન ખાતે રોજ સરેરાશ ૭૦ MLD જેટલું પાણી મળે છે.
કમિશનરએ આ સ્થળે પમ્પીંગ સ્ટેશન અને GSRની મુલાકાત લઇ જરૂરી માહિતી મેળવી હતી.આ ઉપરાંત મ્યુનિ. કમિશનરએ ઘંટેશ્વર ખાતે કાર્યરત ૧૩.૫૦ MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ વિઝિટ કરી હતી.
સાથોસાથ તેમણે માધાપર ખાતેના ૪૪.૫૦ MLD અને ૮૦ MLD ક્ષમતાના બંને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ત્યાં જ આવેલ શ્વાન ખસીકરણ કેન્દ્રની પણ મુલાકાત લઇ વિગતો જાણી હતી.મ્યુનિ. કમિશનરની વિઝિટ દરમ્યાન તેમની સાથે એડી. સિટી. એન્જી. એમ. આર. કામલીયા, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી ઉપસ્થિતિ રહ્યા હતા.