Panchmahal News: પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે કેન્દ્ર સરકારે રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. ભક્તોને રોપ-વેની સુવિધા મળવાથી સરળતાથી માતાના દર્શન કરી શકશે.
પાવાગઢ મંદિરે જવા માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા ઉપલબ્ધ છે. દૂધિયા તળાવથી મહાકાળી મંદિર સુધી જવા 400થી વધુ પગથિયા ચઢવા પડે છે. ત્યારે કેન્દ્ર સરકારે નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો ભાવિક ભક્તો સરળતાથી માતા દર્શન કરી શકશે. કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. જેના માટે એક જોઇન્ટ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી છે. આ સમિતિએ તાજેતરમાં સ્થળ પર તપાસ કરી છે અને રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે.