અમદાવાદમાં કોરોનાને લીધે બગડેલી પરિસ્થતિને જોતા નરોડા અને નિકોલના રહેવાસીઓએ પોતાના જીવની સલામતી માટે સ્વેચ્છિક લોક ડાઉન જાહેર કરવાની જાહેરાત કરી છે. બંને વિસ્તારમાં સતત નવા કેસો સામે આવી રહ્યા છે જેના કારણે લોકો એકસંપ થઈને થોડાક દિવસો સુધી લોક ડાઉન જાતે જ પાળવાના છે.
લોક ડાઉન ના નિર્ણયથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડશે તો પણ તેઓ વેઠવા માટે તૈયાર છે પરંતુ, પોતાનો જીવ બચાવવા માટે તેઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું નિર્ણય લઈને કોરોનાની ચેન તોડવાની કોશિશ શરુ કરી છે.