ગુજરાત રાજ્યમાં કોરોના સંકટ સતત ઘેરું બનું જઈ રહ્યું છે. રાજય સરકારના કોરોનાને ડામવા માટેના તમામ પ્રયાસો છતાય રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યી છે. રાજ્યના મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં પરિસ્થિતિ ગંભીર થી અતિ ગંભીર બની રહી છે.
ત્યારે અમદાવાદ મનપા દ્વારા શહેરમાં બંધ કરવામાં અસવેલી VS હોસ્પિટલ ફરી એકવાર શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપા દ્વારા VS હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ટ્રોમા બિલ્ડીંગમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. હાલ 35 દર્દી સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગત રોજ અમદાવાદ ખાતે 1400 થી વધુ કોરોના કેસ નોધાયા છે. તો 14 દર્દીઓના મોત થયા છે.