ગુજરાત : રાજ્યમાં બદલીઓ અને પોસ્ટિંગનો દોર ફરી શરૂ થયો છે. મહેસુલ વિભાગ દ્વારા મામલતદારો અને ડેપ્યુટી કલેક્ટર કેડરના અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે ગેસ કેડરના અધિકારીઓનું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા 29 મામલતદારોની સામૂહિક બદલી કરવામાં આવી. આ સાથે 38 ડેપ્યુટી કલેકટરોની બદલી અને 38 કલેક્ટરોની જિલ્લા ફેર બદલીના આદેશ થતા વિભાગમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. મહેસુલ વિભાગમાં અચાનક બદલીઓ અને પોસ્ટિંગના નિર્ણયો ચારેકોર ચર્ચાનો વિષય બન્યા છે. અધિકારીઓમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા આદેશ ગેસ કેડરના 12 અધિકારીઓનું પોસ્ટિંગ કરવામાં આવ્યું. પોસ્ટિંગ કરવામાં આવેલ 2021ની બેચના અધિકારીઓને અલગ અલગ જિલ્લામાં જવાબદારી આપવામાં આવી છે. રાજ્યમાં અગાઉ ગત ઓક્ટોબર(2023) મહિનામાં બદલી અને બઢતીની કામગીરી કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં મહેસુલ વિભાગમાં 55 મામલતદારોની બદલીઓ કરવામાં આવી હતી જ્યારે 162 નાયબ મામલતદારો (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2)માં બઢતી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં રાજ્યમાં અધિકારીઓ, મામલતદાર, કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરની બદલીઓ, પોસ્ટિંગ અને પ્રમોશન પર ચૂંટણીની ઇફેક્ટ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં અનેક વિભાગમાં ધરખમ ફેરફાર કરાતા આ કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત 38 ડેપ્યુટી કલેકટર અને 26 મામલતદાર અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Land For Jobs Case/EDએ આજે તેજસ્વીને બોલાવ્યા, 10 કલાકની પૂછપરછ બાદ ગઈકાલે રાત્રે 9 વાગ્યે લાલુને કર્યા મુક્ત
આ પણ વાંચો:Land For Jobs Case/50 સવાલોના જવાબ આપ્યા બાદ લાલુને ED તરફથી મળશે રાહત, 7 કલાક સુધી ચાલી રહી છે પૂછપરછ
આ પણ વાંચો:US Visa/અમેરિકન વિઝા મેળવવું બનશે સરળ, આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો,ભારતીયોને થશે લાભ