Western Railway: મુસાફરો (Passengers)ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે (Western Railway)એ અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09407/09408 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (14 ટ્રીપ)
ટ્રેન નંબર 09407 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 6 મે 2025 થી 17 જૂન 2025 સુધી દર મંગળવારે અમદાવાદથી સવારે 09:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 19.00 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09408 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 7 મે 2025 થી 18 જૂન 2025 સુધી દર બુધવારે દાનાપુરથી રાત્રે 22:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 06:૦૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં, બંને દિશામાં, ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુદ્વારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિઓકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09407 માટે બુકિંગ 02 મે 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો:પાલનપુરમાં પોલીસે દેશવ્યાપી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો
આ પણ વાંચો:ગાંધીનગરની IT કંપનીનો મેનેજર ડેટિંગ એપ પર સાયબર ફ્રોડનો થયો શિકાર
