Rohit Sharma Captaincy: ભારતીય ક્રિકેટ ટીમના નવા કેપ્ટન રોહિત શર્માએ પોતાના ટૂંકા કાર્યકાળમાં સાબિત કરી દીધું છે કે ગમે તે ફોર્મેટ હોય તે વિરોધી ટીમને ખતમ કરવાની શક્તિ ધરાવે છે. રોહિતની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમે 2014 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડને તેના ઘરે ODI શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું, જ્યારે હિટમેન આ જીત સાથે ઈંગ્લેન્ડમાં ODI શ્રેણી જીતનાર માત્ર ત્રીજો કેપ્ટન બન્યો હતો.
રોહિત શર્મા પહેલા માત્ર મહેન્દ્ર સિંહ ધોની (2014) અને મોહમ્મદ અઝહરુદ્દીન (1990)એ આ કારનામું કર્યું હતું. ઈંગ્લેન્ડ સામે રમાયેલી આ શ્રેણીની શરૂઆત ટેસ્ટ મેચથી થઈ હતી જેમાં રોહિત શર્મા કોરોના સંક્રમણને કારણે રમી શક્યો ન હતો અને ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, જ્યારે તે ટીમની કેપ્ટનશીપમાં પરત ફર્યો, ત્યારે તેણે ભારતને પ્રથમ T20 શ્રેણી અને પછી ODI શ્રેણીમાં 2-1થી જીત અપાવી.
રોહિત શર્માની કપ્તાની હેઠળ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો કે જેમની કારકિર્દી ખતમ થવાના આરે હતી, તેઓએ પુનરાગમન કર્યું અને ટીમ માટે મેચ વિનિંગ પ્રદર્શન કર્યું. મેદાન પર શાંત સ્વભાવમાં દેખાતો રોહિત શર્મા પોતાના ખેલાડીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે, જેના કારણે તેની કેપ્ટનશિપની શૈલી પૂર્વ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની જેવી જ છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ આ ક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે કેવી રીતે રોહિત શર્મા અને એમએસ ધોની તેમના બોલરોને સપોર્ટ કરે છે અને કેવી રીતે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ રોહિતની સ્વતંત્રતાને કારણે ફોર્મમાં પાછા ફર્યા છે.
ઓઝાએ જણાવ્યું કે, ‘બેટર્સ પોતાનું ભાગ્ય પોતાના હાથમાં લખે છે પરંતુ જ્યારે પણ બોલરોની વાત આવે છે ત્યારે તેમાં કેપ્ટનનો મોટો હાથ હોય છે. જ્યારે કોઈ સિનિયર ખેલાડી કે કેપ્ટન કોઈ ખેલાડીનું સમર્થન કરે છે ત્યારે તેને ઘણો આત્મવિશ્વાસ મળે છે. IPLમાં મળેલી સફળતાથી હાર્દિકે આત્મવિશ્વાસ મેળવ્યો છે. જ્યારે તમે ટીમનું નેતૃત્વ કરો છો, ત્યારે તમારે વધુ સારી શિસ્ત બતાવવી પડશે. હાર્દિકે ગુજરાત ટાઇટન્સ માટે તમામ ટિક બોક્સ ક્લિક કર્યા અને તેને ફાયદો પણ મળ્યો. હવે તે ભારતીય ટીમ માટે આ જ આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવી રહ્યો છે. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ પુનરાગમન કર્યા બાદ ભારતીય ટીમ માટે શાનદાર બોલિંગ કરી છે. આ દરમિયાન તેણે ODI અને T20 ફોર્મેટમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચો: Population Control Law / વસ્તી નિયંત્રણ માટે કાયદો લાવવાનો કોઈ વિચાર છે? જાણો સરકારે સંસદમાં શું કહ્યું