History : અફઝલ ખાન ભારતના બીજાપુર સલ્તનતના આદિલ શાહ વંશનો ક્રૂર સેનાપતિ હતો. 17મી સદીમાં સેનાપતિ હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. સલ્તનતનો વિસ્તાર કરવા તેને ઘણી મહેનત કરી હતી. તેમ છતાં તેને ભવિષ્વાણી પર ઘણો ભરોસો હતો. જેના કારણે તેને તેની 63 પત્નીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી.
બીજાપુરમાં 63 જેટલી એકસમાન કબર છે. એ જોઈને લાગે છે કે આ બધી કબર એક સમયે બની હતી. કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ જનરલ અફઝલ ખાનની પત્નીઓની કબર છે. 1659માં મરાઠાના મહાન યોદ્ધા શિવાજી મહારાજ અને આદિલ શાહ વચ્ચે ભીષણ યુદ્ધ થયું તે સમયે આદિલે સેનાપતિ અફઝલ ખાનને મોકલ્યો હતો.
ભારતીય પુરાતત્વ વિભાગના મતે, હેનરી કજીન્સના મુજબ જ્યોતિષોએ કહ્યું હતું કે, અફઝલ ખાને કહ્યું હતું કે, તે આ યુદ્ધથી જીવતો પાછો નહીં ફરે. ભવિષ્યવાણી સાંભળી તે બહુ ડરી ગયો.
કજીન્સે પોતાના પુસ્થકમાં લખ્યું ચે કે બીજાપુર – ધ ઓલ્ડ કેપિટલ ઓફ ધ આદિલ શાહ કિંગ્સમાં કહ્યું છે કે તે જ્યોતિષો કહે તેમ ચાલતો હતો. તેથી જ તકબર પર પત્થરથી પોતાના મોતનું વર્ષ લખી દીધું હતું. બીજાપુર છોડતી વખતે તેને એહેસાસ હતો કે તે જીવતો પાછો નહીં ફરે.
પત્નીઓને શા માટે મારી?
ઈતિહાસવિદ લક્ષ્મી શરથે જણાવ્યું કે અફઝલ ખાને તેની બધી પત્નીઓને એખસાથે કુવામાં ધકેલી દીધા હતા. જેથી યુદ્ધમાં મર્યા બાદ તે અન્ય કોઈના હાથમાં ન આવે. તેને ડર હતો કે તેના મોત બાદ તેની પત્નીઓ બીજા લગ્ન ના કરી લે. માહિતી મુજબ તેની એક પત્નીએ ભાગવાની કોશિષ કરી હતી તેમ છતાં તે પકડાઈ ગઈ હતી અને અંતે મોતને ભેટી હતી.
આ પણ વાંચો: સીબીએસઈનું 10મા ધોરણનું 93.60 ટકા પરિણામ
આ પણ વાંચો:CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ
આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન