રાફેલ સોદો મળવા સમયે રિલાયન્સ ડિફેન્સ પાસે રક્ષા ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગનો કોઈ અનુભવ ના હોવાના રાહુલ ગાંધીના આરોપનો અનિલ અંબાણીએ પત્ર લખીને જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા આ પત્રમાં અનિલ અંબાણીએ કહ્યું રિલાયન્સ ડિફેન્સ પાસે શિપ બનાવવાનો અનુભવ હતો.
યુપીએ સરકારે જયારે રાફેલ સોદો કર્યો ત્યારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સનું કોઈ નામોનિશાન નહતું. આ કંપની માર્ચ 2015માં બની હતી. અને લગભગ દોઢ વર્ષ બાદ સપ્ટેમ્બર 2016માં મોદી સરકારે ફ્રાન્સ સાથે રાફેલ વિમાન માટે નવો સોદો કર્યો.
મહત્વનું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડિસેમ્બર 2017માં મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ના બદલે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના પક્ષમાં ફેંસલો કર્યો લીધો. જેને વિમાન બનાવવાનો આ પહેલા કોઈ અનુભવ નથી.
નવી સમજૂતી મુજબ ભારતમાં રાફેલ વિમાનનું નિર્માણ રિલાયન્સ ડિફેન્સ દ્વારા કરવામાં આવશે. અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં તર્ક આપ્યો છે કે રિલાયન્સને આ સોદો એટલે મળ્યો કારણ કે અમારી પાસે ડિફેન્સ શિપ બનાવવાનો અનુભવ હતો. આ પત્ર 12 ડિસેમ્બર, 2017નો છે.