અમદાવાદ
રાજ્યમાં અનાજનો સામાન લેવા માટે આધારકાર્ડ ફરજિયાત હોવાના વિવાદનો મામલે ગુજરાતના હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં આધારકાર્ડ વિના 30 સપ્ટેમ્બર સુધી રાશનની સામગ્રી મળી શક્શે.
રાશન સામગ્રી લેવા માટે સરકાર માન્ય 13 પુરાવામાંથી કોઈપણ એક પુરાવો હોવો જરૂરી છે. કોઈ પણ એક પુરાવાની ખરાઈ કર્યા બાદ જ આપી શકાશે સામગ્રી.
રજીસ્ટરમાં ગ્રાહકની વિગતો અને ખરાઇ કરેલા પુરાવાની વિગતો પણ નોંધવી પડશે. રાશનનાં જથ્થાને લગતી ગેરરીતિઓ અટકાવવા માટે આધારકાર્ડ ફરજિયાત કરમાં આવ્યું છે. સરકારે કરેલા પરિપત્રને ધ્યાને લેતા કોર્ટે હુકમ કર્યો હતો.