અમદાવાદ,
સેન્ટ્રલ ઇન્વેસ્ટીગેશન બ્યૂરો (સીબીઆઇ)ના પ્રમુખ પદ માટે નવું નામ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી અધિકારીઓની બેઠક ગુરુવારે યોજવામાં આવશે. જેમાં તપાસ એજન્સીના નવા ડિરેક્ટર માટેના સંભવિત નામો પર ચર્ચા કરવામાં આવશે.
આજે સાંજે થશે ફેંસલો,
પાંચ અધિકારીઓના નામ ઉપર વિચારણા ચાલી રહી છે, ગુજરાતના dg શિવાનંદ ઝા નું નામ પણ ચર્ચામાં, જોકે શક્યતા નહિવત્ છે, એન આઈ એ ડાયરેક્ટર વાઈસી મોદી નું નામ સૌથી આગળ છે, અન્ય ત્રણ અધિકારીઓમાં સીઆઈએસએફના ડીજી રાજેશ રંજન નામ પર પણ વિચારણા થઈ રહી છે.
સીબીઆઈને સુદઢ બનાવવા બીએસએફના ડીજી રજનીકાંત મિશ્રાના નામ ઉપર પણ વિચાર થઈ રહ્યો છે. મુંબઈના cp સુબોધ જૈસવાલના નામની પણ અટકળો ચાલી રહી છે ,પીએમના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની કમિટી સાંજે નિર્ણય કરશે. દેશભરના આઇપીએસ વર્તુળોની પસંદગી પર નજર છે.