માફી/ આખરે કંગનાએ કેમ ખેડૂતોની માંગી માફી,જાણો વિગત…

કિરાતપુર સાહિબ ટોલ પ્લાઝા પર ખેડૂતોએ કંગના રનૌતના કાફલાને ઘેરી લીધો હતો. લાંબા હોબાળા બાદ આખરે કંગનાએ માફી માંગી

Top Stories Entertainment
kagna123 આખરે કંગનાએ કેમ ખેડૂતોની માંગી માફી,જાણો વિગત...

અભિનેત્રી કંગના રનૌત જે  પોતાના નિવેદનોથી વિવાદોમાં રહે છે, તેણે શુક્રવારે પંજાબમાં ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો. મનાલીથી મુંબઈ જતી વખતે કિરાતપુર સાહિબ ટોલ પ્લાઝા પર ખેડૂતોએ કંગના રનૌતના કાફલાને ઘેરી લીધો હતો. લાંબા હોબાળા બાદ આખરે કંગનાએ માફી માંગી

કંગનાની કારને રોપર નજીક બુંગા સાહિબ ખાતે રોકી દેવામાં આવી છે. કંગનાએ ચંદીગઢ એરપોર્ટથી મુંબઈની ફ્લાઈટ પકડવાની હતી. ખેડૂતોની સાથે મહિલાઓ પણ હાજર હતી અને કંગનાને માફી માંગવા માટે કહી રહી હતી ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાએ વૃદ્ધ મહિલાઓ વિશે કહ્યું હતું કે તેમને 100-100 રૂપિયામાં લાવવામાં આવે છે. જેના કારણે ખેડૂતો કંગનાથી નારાજ ચાલી રહ્યા હતા.

કંગના રનૌત હિમાચલમાંથી બહાર આવી છે. હું પંજાબ આવી કે  તરત જ ટોળાએ મને ઘેરી લીધી. પોતાને ખેડૂત કહે છે. અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેશમાં આ પ્રકારની મોબ લિંચિંગ થઈ રહી છે. જો આપણી સાથે સુરક્ષા દળો ન હોત તો શું થશે? આટલા બધા પોલીસ છે, તે પછી પણ અમને જવા દેવામાં આવી નથી. શું હું રાજકીય વ્યક્તિ છું? ઘણા લોકો મારી વિરુદ્ધ રાજનીતિ કરી રહ્યા છે. તેનું આ પરિણામ છે. ટોળાએ મને ઘેરી લીધી  જો પોલીસ ન  તો મારી હત્યા કરી દેવામાં આવત