ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કે જે આપણા વડાપ્રધાન નું ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવાય છે, તેના પરિસરની જાળવણીનું કામકાજ ખાનગી કંપનીને સોપવામાં આવ્યું છે. રૂપિયા 500 કરોડના ખર્ચે તૈયાર મહાત્મા મંદિરને મેઇન્ટેઇન કરવાનું કામ ધ લીલા વેન્ચર્સ લિમિટેડને સોંપવામાં આવી છે.
મહાત્મા મંદિરને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ચલાવવા માટે અને જાળવણી તેમજ ઈન્ડિપેન્ડન્ટ વાઇબ્લિટી વધારવા માટે ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર મહાત્મા મંદિરની જાળવણીમાં પહોંચી ન વળતા 25 વર્ષ માટે લીલા વેન્ચર્સ લિમિટેડને સંચાલન તેમજ જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન