કુતુબમિનારમાં હિન્દુ અને જૈન મંદિરોને ફરીથી બનાવવા માટે અને નિયમિત પૂજા પાઠ નો અધિકાર આપવા માટેની અરજી પર દિલ્હી કોર્ટમાં ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી. કોટે આ મામલા સાથે જોડાયેલી તમામ જાણકારી માંગતા આગામી સુનાવણી 6 માર્ચ પર કરવાનો ચુકાદો આપ્યો હતો.પિટિશનરનો દાવો છે કે કુતુબમિનારની કિંમત કુવત-ઉલ-ઇસ્લામ મસ્જિદ મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી ત્યાં 27 મંદિરો હતા, આ મામલામાં જે ત્રણ લોકોએ અરજી કરી છે તેમણે પોતાની સાથે સાથે જૈન તીર્થંકર ઋષભદેવ અને ભગવાન વિષ્ણુને પણ પિટિશનર બનાવ્યા છે.
India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…
મુખ્યપાંચ દલીલો કરવામાં આવી
1. મોગલ શાસક કુતબુદીન એબક ના સમયમાં કુતુબમિનાર કોમ્પલેક્સમાં સ્થિત મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. કુતુબુદીન એબક મંદિરોને પુરી રીતે ધ્વસ્ત કરી શક્યો નહીં તેના કેટલાક ભાગ તોડીને તેના મટિરિયલમાંથી જ મસ્જિદ બનાવી દેવામાં આવી.
2. વર્તમાન કોમ્પલેક્ષની દિવાલો અને થાંભલાઓ છત પર દેવી દેવતાઓના ચિત્રને ધાર્મિક ચિન્હો બનાવવામાં આવ્યા હોવાનું દેખાય છે. જેમાં ભગવાન ગણેશ, ભગવાનવિષ્ણુ,દ્વારપાલ, પાર્શ્વનાથ, મહાવીર, નટરાજના ચિત્ર તેમજ મંગળ કળશ, શંખ ગદા, શ્રી યંત્ર ઘંટીઓ અને પવિત્ર કમળના ચિન્હો નો સમાવેશ થાય છે.
3.કોમ્પ્લેકસના 9 આંતરિક અને બાહ્ય સ્ટ્રક્ચર પ્રાચીન હિંદુ અને જૈન મંદિરોના આર્કિટેક્ચરના પ્રતીક છે. કોરિડોર સંપૂર્ણ રીતે વૈદિક સ્ટાઈલમાં બનાવવામાં આવ્યો છે જેમાં થાંભલાઓ પર બનાવેલા પવિત્ર ચિન્હ પ્રદર્શિત કરતી ગેલેરી પણ છે.
4. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ના સંક્ષીપ્ત ઇતિહાસમાં પણ કુતુબમિનાર ના મંદિરોને તોડીને મસ્જિદ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
5.એ વાત મહત્વની છે કે વિવાદિત સાઈટને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહત્વની સ્મારક ઘોષિત કર્યું હતું હવે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તેની સાર સંભાળ કરી રહ્યું છે.
Gujarat / CM ના નેતૃત્વમાં હાઈ પાવર કમિટીની બેઠકમાં શાળાઓ ખોલવા અંગે લ…
મુખ્ય માંગો
કેન્દ્ર સરકારને નિર્દેશ કરવામાં આવે કે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યો અને આ ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેશનની યોજના બનાવ્યા બાદ મંદિર કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ ટ્રસ્ટ સોંપી દેવામાં આવે.
કેન્દ્ર સરકાર અને એએસ આઈને રીપેરીંગ, કન્સ્ટ્રકશનના કામ,
પૂજા દર્શનોના વ્યવસ્થા વગેરે કરવા માટે દાખલ દેવા માટે રોકવામાં આવે.
India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…