આરસીપી સિંહને જનતા દળ યૂનાઇટેડ (JDU)ના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે કહ્યુ કે, એક સાથે બે પદ સંભાળવા સરળ થઈ રહ્યાં નથી. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ, બંન્ને ભૂમિકા એક સાથે નિભાવવી સરળ નથી. નીતીશ કુમારે આરસીપી સિંહના નામનો પ્રસ્તાવ રાખ્યો અને પછી બાકી સભ્યોએ તેનું સમર્થન કર્યુ છે.તેમને નીતીશ કુમારના ખાસ માનવામાં આવે છે. બિહારમાં નીતીશ સરકારની સાથે તે પ્રિન્સિપલ સેક્રેટરીના રૂપમાં જોડાયા. પછી રાજનીતિમાં આવ્યા અને હવે જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે.

VALSAD / વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના ગામમાં કોરોનાના કહેર વચ્ચે…
આમ તો બિહારમાં ઘી ઢોળાય તો ખીચડીમાં તેવી પ્રથા બરકરાર રહી છે.આરસીપી સિંહને નીતીશ કુમારના વિશ્વાસુ ગણવામાં આવે છે. બિહાર ચૂંટણી દરમિયાન પણ ઘણા વિષયોને લઈને નીતીશ કુમાર તેમની સાથે ચર્ચા કરતા હતા. નીતીશ ઘણીવાર પહેલા પણ આરસીપી સિંહને પાર્ટીનું નેતૃત્વ આપવાની વાત કહી ચુક્યા છે.
રાજકોટ / રાજકોટમાં સામે આવ્યો વિચિત્ર કિસ્સો, દસ વર્ષથી કેદમાં હતી ત્…
જેડીયુના નવા અધ્યક્ષ વિશે વધુ જાણીએ તોઆપસીપી સિંહનું પૂરુ નામ રામચંદ્ર પ્રસાદ સિંહ છે. તેઓ બિહારથી રાજ્યસભા સાંસદ છે. નીતીશના જિલ્લા નાલંદાના રહેવાસી આરસીપી સિંહ પહેલા યૂપી કેડરમાં આઈએએસ ઓફિસર હતા અને નીતીશ સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચુક્યા છે. 62 વર્ષીય આરસીપી સિંહે વે અવધિયા કુર્મી જાતિમાંથી આવે છે. નીતીશના જિલ્લા નાલંદાના મુસ્તફાપુરના રહેવાસી છે.સિવિલ સર્વિસ દરમિયાન સિંહ સરકારમાં ઘણા મહત્વના પદ પર કામ કરી ચુક્યા છે.

રાજકોટ / રાજકોટમાં નોટબંધીનું ભૂત ધૂણ્યું, 500ના દરની 7200 જૂની ચલણી …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
