રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા હરવા ફરવાના તમામ સ્થળો તેમજ મનોરંજનના સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન્સ બહાર પાડીને ધીમે ધીમે મનોરંજનના સ્થળો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. ત્યારે મહેસાણા ખાતે આવેલ વોટરપાર્ક ખુબ જ લાંબા સમય બાદ શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો લોકો વોટરપાર્ક ખાતે ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: શું રાજયમાં ફરી લોકડાઉન થશે કે નાઇટ કરફ્યુ? 24 કલાકમાં લેવાઈ શકે છે નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા ખુબ જ લાંબા સમયના વિરામ બાદ કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડીને મનોરંજનના સ્થળોને ખોલવવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ હાલમાં ઉનાળાની સીઝન શરૂ થતા જ લોકો ગરમીથી રાહત મેળવવા તેમજ મનોરંજન માટે મહેસાણા ખાતે આવેલ વોટરપાર્ક શરૂ કરવામાં આવ્યું છે. પહેલ જ દિવસે વોટરપાર્કમાં નાના મોટાથી લઈ સૌ લોકો જઈ મજા માણી હતી.
આ પણ વાંચો: વ્હીલચેર પર બે હાથ જોડી હજારોની જનમેદની સાથે કથિત હુમલા બાદ મમતાનો ધમાકેદાર ‘પાવર શો’
વોટરપાર્કના સંચાલકો દ્વારા કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન સાથે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વોટર પાર્કમાં આવેલ લોકો દ્વારા પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યું હતું. ઉનાળાની શરૂઆત થતા જ હજુ વધુ લોકો પણ વોટરપાર્કમાં મનોરંજન માટે આવશે તેવું સંચાલકો માની રહ્યા છે.