- કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલને ત્યાં તપાસ
- બિલ્ડર રાજેશ પોદ્દારને તપાસની કામગીરી શરૂ
- સવારથી ઘર, ઓફિસ સહિતના સ્થળે તપાસ
- બિલ્ડરોના ભાગીદારોને ત્યાં પણ દરોડા પડાયા
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સુરતના નામી વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કુબેરજી ગ્રુપ ના નરેશ અગ્રવાલ અને બિલ્ડર રાજેશ પોદ્દારને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારો અને તેમના સંબંધીઓને અને ઘર અને ઓફીસ તમામ સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ, વડોદરા અને સુરતના 25 થી 30 અધિકારીઓના કાફલાએ વહેલી સવારે કુબેરજી ગ્રુપના માલિક અને ભાગીદારોના ઘર,ઓફિસ અને કન્ટ્રક્શન સાઈટ પર પહોંચેલી આઈટીની ટીમે અંદાજે પોણા સાત વાગ્યાથી સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ સર્વેમાં આઈટીને બેનામી નાણું હાથ લાગે તેવી આશંકા સેવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન