સુરત/ પ્રેમ પ્રકરણમાં કરાયેલી હત્યા મામલે પોલીસને મોટી સફળતા, હત્યા કરનારા 2 આરોપીઓની કરાઈ ધરપકડ

સુરતમાંથી પ્રેમ પ્રકરણમાં એક હત્યા કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ પ્રેમી પત્નીને હેરાન કરતો હોવાથી સુરતમાં પતિ દ્વારા પ્રેમીની હત્યા કરવામાં આવી હતી અને મરનારનો મોબાઈલ ફોન ગુડ્સ ટ્રેનમાં ફેંકી દીધો હતો

Gujarat Surat
A 337 પ્રેમ પ્રકરણમાં કરાયેલી હત્યા મામલે પોલીસને મોટી સફળતા, હત્યા કરનારા 2 આરોપીઓની કરાઈ ધરપકડ

સુરતમાંથી પ્રેમ પ્રકરણમાં એક હત્યા કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ પ્રેમી પત્નીને હેરાન કરતો હોવાથી સુરતમાં પતિ દ્વારા પ્રેમીની હત્યા કરવામાં આવી હતી અને મરનારનો મોબાઈલ ફોન ગુડ્સ ટ્રેનમાં ફેંકી દીધો હતો જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાઈ. આ ઘટનામાં આરોપીઓ દ્વારા એક મૂવીમાં જોયેલી ઘટના મેં યાદ રાખતા મરનાર નો મોબાઈલ ફોન ગુડ્સ ટ્રેનમાં ફેંકી દીધો હતો,જેથી મરનાર ના પરિવારના સભ્યો અને પોલીસ ગેરમાર્ગે દોડતી રહે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, માર્ચની 22મી તારીખે સીસીટીવીમાં દેખાયો હતો. છેલ્લી વાર ફોટોમાં દેખાતો મૃતક અજય મોરે, મોપેડ પર અજય ને પતિ સાગર બાગલે અને અન્ય એક મિત્ર લઈ જતા નજરે આવ્યા હતા અને ત્યાર બાદથી અજય મિસિંગ થઈ ગયો હતો,ત્યાર બાદ સામે આવ્યું હતું કે ઉધના નજીક રેલવે ટ્રેકની પાસે જાહેરમાં અજય ની હત્યા કર્યા બાદ લાશ ને સળગાવી દેવાનો કર્યો હતો પ્રયાસ અને ત્યાર બાદ અર્ધી બળેલી લાશ ને એક આવવારુ ઝૂંપડીમાં માટીના નીચે દફનાવી દીધી હતી.

આ પણ વાંચો : વડોદરામાં 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ

આ બનાવ અંગે નવાગામ આર.ડી. કોપ્લેક્સ ખાતે રહેતા અજય મોરેની હત્યા કરી લાશ દફનાવી દેવાના કેસમાં રેલવે પોલીસે બેની ધરપકડ કરી છે,અજય મોરે પૂર્વ પ્રેમિકાને રજાડતો હોવાથી તેણીના પતિ સાગર બાગલેએ સગીર સાથે મળી ચપ્પ અને પથ્થરના ઘા ઝીંકી ઘાતકી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશને સળગાવી દીધી હતી.

અજય મોરેના ગુમ થયા બાદ પોલીસે મિસિંગ લીધી હતી જોકે મૃતક નો મોબાઈલ ફોન નું લોકેશન રાજેસ્થાન આવતું હોવાથી અને ફોન કોઈ ઉપાડતો ના હોવાથી મુંઝવણમાં મુકાઈ હતી,જોકે હવે આરોપી પકડાયા બાદ ખબર પડી હતી કે હિન્દી પિચર દ્રશ્યમ જોઈ હોવાથી મૃતકનો મોબાઈલ ફોન કોલસા ભરેલી ગુડ્સ ટ્રેનમાં ફેંકી દીધો હતો જેથી પોલીસ અને મૃતકના પરિવારના સભ્યો ગેરમાર્ગે દોરાઈ… આરોપીઓને આ આઈડિયા એક પિચરમાં જોઈ હોવાથી યાદ આવી હતી અને બસ ની જગ્યા ગુડ્સ ટ્રેનમાં મોબાઈલ ફોન ફેખી દીધો હતો.

આ પણ વાંચો : સુરતમાં કર્ફ્યુ દરમિયાન કિન્નરોએ કરી ધમાલ, નગ્ન થઇ પોલીસ સાથે કરી હાથાપાઇ

સુરત રેલવે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી અજય મોરેની હત્યા કરનારા સગીર સહિતની બેની ધરપકડ કરી હતી . આ સાથે જ પોલીસ સામે આવેલી હકીકત મુજબ અજય મોરે એક યુવતી સાથે પ્રેમમાં હતો , પરંતુ આ યુવતીના થોડા મહિના પહેલા સાગર અનિલ બાગલે સાથે લગ્ન થયાં હતા . લગ્ન બાદ તેણીએ અજય સાથે બોલચાલ બંધ કરી હતી . તેણીએ બોલચાલ બંધ કરી દીધી હોવા છતાં અજય મોરે તેણીને કોલ કરી પરેશાન કરતો હતો,જેને લઈ સમજાવા માટે પતિએ અજય ને બોલાવ્યો હતો અને દારૂ પીધા બાદ બોલાચાલી ઉગ્ર બની જતા સાગર બાગલે દ્વારા અજયની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો : ગાંધીનગર સર્કિટ હાઉસમાં મેનેજર સહિત 15ને કોરોના પોઝિટીવ