ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રદૂષણને કારણે દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર જિલ્લામાં 21 નવેમ્બર સુધી શાળાઓ અને કોલેજોને બંધ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો છે. બોર્ડે મોડી રાત્રે આ જાણકારી આપી છે.
#UPDATE | Uttar Pradesh Pollution Control Board withdraws order for closure of education institutions in Ghaziabad, Gautam Buddh Nagar, Meerut, Baghpat, Muzaffarnagar, Shamli and Bulandshahr in view of air pollution https://t.co/9ukESzQtUF
— ANI UP (@ANINewsUP) November 17, 2021
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગાઝિયાબાદ, મેરઠ, બાગપત, મુઝફ્ફરનગર અને શામલી જિલ્લામાં શાળા બંધ કરવાનો આદેશ પણ પાછો ખેંચી લીધો છે નોઇડામાં સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને બોલાવવાની વાત કરવામાં આવી છે. બોર્ડે કહ્યું કે નોઈડામાં બાંધકામ પરનો પ્રતિબંધ આગામી આદેશો સુધી ચાલુ રહેશે.
આ સાથે જિલ્લામાં ડીઝલ જનરેટર ચલાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે, કોઈપણ પ્રકારની ઈમરજન્સી સેવાઓ પર કોઈ પ્રતિબંધ નથી. તમને જણાવી દઈએ કે, બુધવારે ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અધિકારી સુહાસ એલવાયની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં પર્યાવરણ સમિતિ, વૃક્ષારોપણ સમિતિ અને જિલ્લા વેટલેન્ડ સમિતિ સામેલ હતી.