Not Set/ નેપાળના પૂર્વ વડાપ્રધાન તુલસી ગિરીનું ૯૩ વર્ષની વયે નિધન

નેપાળમાં બે વખત વડાપ્રધાન પદ પર રહી ચુકેલા વરિષ્ઠ નેતા તુલસી ગિરીનું મંગળવારે નિધન થયું હતું. તુલસીના પરિવારે કહ્યું કે ૯૩ વર્ષના તુલસી લીવરના કેન્સર સામે લાંબા સમયથી લડી રહ્યા હતા. ગિરીના નિધન પર વડાપ્રધાન કેપી શર્માએ ઓલીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હું પૂર્વ વડાપ્રધાન તુલસી ગિરીના નિધનના સમાચાર […]

Top Stories World Trending Politics

નેપાળમાં બે વખત વડાપ્રધાન પદ પર રહી ચુકેલા વરિષ્ઠ નેતા તુલસી ગિરીનું મંગળવારે નિધન થયું હતું. તુલસીના પરિવારે કહ્યું કે ૯૩ વર્ષના તુલસી લીવરના કેન્સર સામે લાંબા સમયથી લડી રહ્યા હતા.

Image result for tulsi giri

ગિરીના નિધન પર વડાપ્રધાન કેપી શર્માએ ઓલીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હું પૂર્વ વડાપ્રધાન તુલસી ગિરીના નિધનના સમાચાર સાંભળીને ઘણો દુઃખી છુ. તેમના પરિવાર અને મિત્રો માટે હું સવેદના વ્યક્ત કરું છુ.

Related image

થોડા સમય પહેલા જ તુલસીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

વર્ષ ૧૯૨૬માં જન્મેલા ગિરીએ તેમના રાજનીતિક જીવનની શરૂઆત નેપાળી કોંગ્રેસ પાર્ટીથી કરી હતી. તેઓ પાર્ટીમાં મહાસચિવના પદ સુધી પહોચી ગયા હતા.

ગિરી ૧૯૭૫ અને ૧૯૭૭માં કિંગ બીરેન્દ્ર અને વિક્રમ શાહના શાસનકાળ દરમ્યાન પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. ૧૯૯૦માં તેઓ નેપાળ છોડીને શ્રીલંકા આવ્યા રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૫માં તેઓ નેપાળ પરત આવ્યા હતા.