પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની બનેલી કાશ્મીર સમિતિની શનિવારે પ્રથમ બેઠક થઈ હતી. આ સમિતિમાં સાત સભ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને 6 ઓગસ્ટે આ સમિતિ બનાવી હતી, જ્યારે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ 370 ની મહત્વપૂર્ણ જોગવાઈઓને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.
સમિતિની બેઠક પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરૈશીની અધ્યક્ષતામાં મળી હતી. સમિતિના અન્ય સભ્યોમાં આઈએસઆઈ હેડ જનરલ ફૈઝ હમીદ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ, મેજર જનરલ આસિફ ગફૂર, લો માત્રી નસીમ, વડાપ્રધાન ઇમરાન ખાનના વિશેષ સલાહકાર ફિરદૌસ આશીક, એટર્ની જનરલ અનવર મંસૂર ખાનનો સમાવેશ થાય છે.
બેઠક બાદ પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરૈશીએ કહ્યું કે આજે (શનિવારે) કાશ્મીર સમિતિની પહેલી બેઠક હતી. આ બેઠક ખાસ છે કારણ કે તેમાં પાકિસ્તાનની તમામ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ થાય છે. અમે સંસદમાં એકતા દર્શાવી હતી અને હવે આજની આ બેઠકમાં અમે એક પ્રતીકાત્મક રીતે એકઠા થયા હતા.
તેમણે કહ્યું કે કાશ્મીર સમિતિની પહેલી બેઠકમાં ભારત સામે વધુ લડત માટે એક રોડમેપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સંસદના સંયુક્ત સત્રમાં પસાર કરાયેલ ઠરાવ કાશ્મીર સમિતિની બેઠકમાં મુકવામાં આવ્યો હતો. યુ.એન.એસ.સી. માં કાશ્મીર મુદ્દે ચર્ચાના મુદ્દા પણ બેઠકમાં ઉઠ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.