Surat News : સુરતમાં કરંટ લાગવાથી યુવકનું મોત નીપજયું હતું. જેને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારે ટોરન્ટ પાવરની બેદરકારી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
સુરતના માનદરવાજા ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં 37 વર્ષના યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. તાત્કાલિક તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ કાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસીને મૃત ઘોષિત કર્યો હતો.
યુવાન પુત્રના આકસ્મિક મોતને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
બીજીતરફ મૃતક યુવકના પરિવારજનોએ ટોરેન્ટ પાવરની બેદરકારીને કારણે તેમના દિકરાનો જીવ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવાર દ્વારા આ અંગે ન્યાયની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા
આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો
આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ